SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ત્રણ પ્રતિમા હતી. શ્રી શાંતિલાલ જમનાદાસ ચૂડગરે ઘરદેરાસર બંધાવ્યું હોવાની અને દેરાસરની સ્થિતિ સારી હોવાની નોંધ છે. (૨) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય કોલાખાડી, ઘડિયાળી પોળ. ઘડિયાળી પોળમાં કોલાખાડી મહાદેવ પાસે ખડકીમાં શ્રી હરખચંદ વીરચંદના મકાનમાં ત્રીજા માળે ઘરદેરાસર બનાવવામાં આવેલ છે. છાપરાબંધી ઘરદેરાસરમાં ગભારાની છત અબરખ તથા કાષ્ઠની કોતરણીથી શણગારવામાં આવી છે. કોતરણી ઘણી પ્રાચીન જણાય છે. નાના ગભારામાં કુલ છ ધાતુપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. મૂળનાયક તરીકે શ્રી શીતળનાથ ભગવાનની ૩" ની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે તથા શ્રી આત્માનંદજી મહારાજસાહેબની સ્ફટિકની મૂર્તિ પણ છે. લેખ મુજબ મૂળનાયક પ્રભુની પ્રતિમાની સંવત ૧૫૨૪માં શ્રી લક્ષ્મીસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૧૦ છે. દેરાસરનો વહીવટ શ્રી જયંતિલાલ હરખચંદ, શ્રી જશકુમાર હરખચંદ તથા શ્રી દિનેશભાઈ હીરાલાલ કરે છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા બસો વર્ષથી આ દેરાસર અત્રે છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. આમાં ૬ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ વીરચંદ ગોકળદાસે ઘરદેરાસર બંધાવ્યું હોવાની નોંધ છે. (૩) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય કોલાખાડી, ઘડિયાળી પોળ ઘડિયાળી પોળમાં કોલાખાડી મહાદેવ પાસે ઝવેરી ખડકીના ધાબાબંધી એક મકાનમાં મેડા પર એક ઓરડીમાં આ ઘરદેરાસર બનાવવામાં આવેલ છે. કાષ્ઠના નાના કબાટમાં કુલ ૯ ધાતુપ્રતિમાઓ પ્રતિક્તિ કરવામાં આવેલ છે. કબાટને તેના સ્થાનેથી બહાર લાવી બધી પ્રતિમાઓની પૂજા-અર્ચના વિધિ સંપૂર્ણ કરી
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy