________________
વડોદરાનાં જિનાલયો
૨૩૯ રાખવામાં આવેલી છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧૦ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
| વિ. સં. ૨૦૧૬માં દેરાસરની પ્રતિષ્ઠા શ્રી ભદ્રાનંદવિજયજી મ. સા. ની નિશ્રામાં કરવામાં આવી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૧ છે. તે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરાવવામાં આવે છે તેમજ ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે.
દેરાસરની નીચે “ચરણશ્રીજી આરાધના ભવન' છે. અહીં ૪૦૦ પુસ્તકોનો જ્ઞાન ભંડાર છે. વળી, અહીં “ચાદ્વાદ-જ્ઞાનમંદિર” પાઠશાળા પણ છે જેમાં આશરે ૬૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૭૦ અને ૯૦ વર્ષના વયોવૃદ્ધ સ્ત્રીઓ પણ પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ મેળવે છે જેનો યશ ત્યાંના ધાર્મિક શિક્ષિકા શ્રીમતી જાસુદબેન શાહને આભારી છે.
હાલ ગામમાં ૫૫ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૫ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
પૂર્વે રાજા તથા દરબારોના શાસન દરમિયાન કાંઈક વિશેષ મહત્વ ધરાવતાં આ નાના શહેરના રાજા શ્રી વિજયરાજ સિંહજીના પુત્ર શ્રી રઘુવીર સિંહજીએ પોતાના પૂર્વજોએ પોતાના સમયમાં બનાવેલ આલીશાન મહેલો આજે મ્યુઝિયમ તથા અલગ-અલગ વિદ્યાશાળા માટે દાનમાં આપ્યા છે. જો કે એ મહેલોની રોનક આજે પણ અડીખમ છે.
જિનાલયનો સમય સં. ૨૦૧૬નો છે.
(૩) શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય
કેવડીયા કોલોની, તા. રાજપીપળા. રાજપીપળાથી ૨૫ કિ. મી.ના અંતરે આવેલ કેવડીયા કોલોનીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું સામરણયુક્ત દેરાસર આવેલું છે.
લોખંડના ઝાંપામાંથી પ્રવેશતાં બે બાજુ આવેલ પગથિયાં ચઢતાં પ્રથમ માળ પર આવેલ દેરાસરમાં પ્રવેશ થાય છે જયાં શ્રી વરુણ દેવ યક્ષ અને શ્રી વરદત્તા દેવી યક્ષિણીની પ્રતિમા બિરાજમાન છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
શ્રી મુનિસુવ્રતસ્વામી બિમ્બ પ્રતિ. તપાગચ્છ . . . . . . . . . . . . . . . . . . . . . . આશાભાઈ સોમાભાઈ. ”