SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૨૩૧ મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા પરના લેખમાં, “મૂળનાયક અજિતનાથ બિંબ સ્વકુટુંબ શ્રેયાર્થ . . . . . . . . . ભંડારી વાસ બાપુલાલે” આટલું જ વંચાય છે. અન્ય એક પ્રતિમા પર સં. ૧૭૨૧ વંચાય છે. દેરાસરની દિવાલમાં ડાબી તરફ એક ગોખલામાં હાથી પર બેઠેલાં મરૂદેવા માતાની શ્યામ આરસમાં કૃતિ તેમજ શ્રી જિનદત્તસૂરીશ્વરનાં પગલાંની જોડ બિરાજમાન છે. પગલાં પરનો લેખ :“૧૭૫૧ ઝાલોદ સંઘ શ્રી જૈન સંઘ” આ દેરાસર પહેલાં ઘરદેરાસર હતું. ત્યાર બાદ જીર્ણોદ્ધાર કરાવી શિખરબંધી દેરાસર બનાવવામાં આવ્યું અને તે સમયે આચાર્ય શ્રી ચિદાનંદસાગર સરીશ્વર તથા પૂ. લાભસાગરસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શેઠ શ્રી બાબુલાલ સૌભાગ્યચંદ ભંડારી પરિવારે લીધેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૩ છે. તે નિમિત્તે ધ્વજારોહણ કરવામાં આવે છે. આશરે ૧૫ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં ગામમાં શ્રાવકનો ૩ માળનો શ્રી અજિતનાથ જૈન ઉપાશ્રય છે તેમજ આશરે ૮૦ પુસ્તક ધરાવતો જ્ઞાનભંડાર પણ છે. () શ્રી શાંતિનાથ જિનાલય દેરાવાસ, ખીમસરા બજારની સામે, લીમડી. તા. ઝાલોદ. ઝાલોદથી ૧૧ કિ. મી.ના અંતરે આવેલ લીમડી ગામમાં ખીમસરા બજારની સામે દેરાવાસમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી, સાદા પત્થર અને આરસનું દેરાસર આવેલું છે. મોક્ષમાર્ગ પ્રવેશદ્વારમાંથી દેરાસરના રંગમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં સામેના દ્વારા પર “મુક્તિમાર્ગ પ્રવેશદ્વાર” લખેલ છે. રંગમંડપમાં વાજિંત્રો વગાડતાં શિલ્પ તેમજ તીર્થંકર પરમાત્માના જીવનચરિત્રને દર્શાવતાં અંશોના ચિત્રકામવાળા પટ જોવા મળે છે. ગભારાની બહાર ગોખમાં યક્ષ-યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા પરના લેખમાં સં. ૧૬૫૧ વાંચી શકાય છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy