________________
૨૩૦
વડોદરાનાં જિનાલયો
(૪) શ્રી સીમÜરસ્વામી રાજેન્દ્ર જૈન મહાતીર્થ ઇન્દોર હાઈવે, દાહોદ.
દાહોદ ઇન્દોર હાઈવે પર ત્રિશિખરી દેરાસર બની રહ્યું છે જ્યાં મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ૬૧" ની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવનાર છે.
એક ઓરડીમાં નાની છત્રીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૭ ધાતુ પ્રતિમાઓ તેમજ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રતિમા પરોણાં બિરાજમાન છે.
અહીં ધર્મશાળા તેમજ ભોજનશાળાની વ્યવસ્થા થનાર છે, તેમજ ગ્રંથાલય બનાવવાની યોજના છે.
(૫) શ્રી અજિતનાથ જિનાલય જૈન દેરાસર ફળિયું, ઝાલોદ.
ઝાલોદ ગામના જૈન દેરાસર ફળિયામાં પ્રવેશતાં સામે જ મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનનું શિખરબંધી, સાદા પત્થર તથા આરસનું દેરાસર આવેલું છે.
લોખંડના ઝાંપામાંથી પ્રવેશતાં બે બાજુ કેસર-સુખડની રૂમ તથા સામાનની રૂમ છે. પ પગથિયાં ચઢતાં નાનો ચોક આવે છે જ્યાંથી ૭ પગથિયાં ચઢતાં સ્તંભોવાળા રંગમંડપમાં પ્રવેશ થાય છે. અહીં દિવાલ પર પ્રશસ્તિ લેખ છે જે નીચે મુજબ છે.
“ણમોત્પુર્ણ સમણસ ભગવઓ મહાવીરો,
પરમ પૂજ્ય આગમોદ્ધારક આણાયે અંદર
આનંદસાગરજી -સૂરીશ્વરેભ્યો નમઃ
પ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિવરાણાં વિનેયાય તસાનાં ૫. પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગર ગણિવરાણં સત્પ્રેરણયા અત્ર...... કારિતે નૂતન ભવ્ય જિનાલયે પ્રાચીન જિનબિંબ પુનઃસ્થાપિતાનિ શ્વેતાંબરીય તપાગચ્છીય શ્રી આનંદસાગરસૂરીશ્વરાણાં વિનેયાય તં સૈ આચાર્ય શ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરૈઃ ૫. પૂ. પન્યાસ લાભસાગરાદિભિઃ વીર સંવત ૨૫૦૭ વિક્રમ સંવત ૨૦૩૭ માઘ કૃષ્ણ તૃતીયાયાં રવિવાસરે.
""
અહીં એક બાજુ ગોખમાં શ્રી માણિભદ્રવીરની તેમજ ગર્ભદ્વાર બહાર સામ-સામે ગોખમાં યક્ષ-યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.