________________
૨૨૮
વડોદરાનાં જિનાલયો
(૨) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય નીચવાસ, બજાર, રણધીકપુર. તા. લીમખેડા.
લીમખેડાથી ૨૨ કિ. મી.ના અંતરે આવેલાં રણધીકપુર ગામમાં નીચવાસ બજા૨માં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી, સાદા પત્થર અને આરસનું દેરાસર આવેલું છે. આરસના રંગમંડપવાળા દેરાસરમાં બહારની કમાન પાસે નીચે ડાબી-જમણી બાજુ હાથી પર સોડ માનવ આકૃતિ, ઉપર કમાન પાસે વાજિંત્ર સાથે બે પૂતળીઓ અને બાજુમાં બે પૂતળીઓ જોવા મળે છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૧૩" ની પાષાણ પ્રતિમા તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
આચાર્ય શ્રી નિરંજનસાગરજી મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેનો લાભ શેઠ શ્રી અજબલાલ ભેરાજી ધોકાએ લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૭ છે. તે નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ લાડવાની પ્રભાવના કરવામાં આવે છે. શેઠ શ્રી સમીરમલજી સાગરમલજી બાફના પરિવાર તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે.
ગામમાં શ્રાવક-શ્રાવિકાનો ૧-૧ ઉપાશ્રય તેમજ પાઠશાળા છે. ગામમાં હાલ આશરે ૮ જૈન કુટુંબો વસે છે.
(૩) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય
હનુમાન બજાર, દાહોદ.
દાહોદ મધ્યે હનુમાન બજાર, માર્કેટયાર્ડમાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું શિખરબંધી, આરસનું દેરાસર આવેલું છે.
૭ પગથિયાં ચઢતાં મોટો ચોક તથા બેઠક આવે છે જ્યાંથી ૩ પગથિયાં ચઢતાં સ્તંભ, પૂતળી અને કમાનથી શોભતી ૩ ચોકી આવે છે જ્યાંથી ૫ કાષ્ઠના દ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે.
પ્રશસ્તિ :- “શ્રી દાહોદ શહેરના શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સંધે આશરે એંશી કરતાં વધુ વર્ષના પ્રાચીન અને જીર્ણ બનેલા આ ગૃહ જિનાલયનો જીર્ણોદ્વાર વિ. સં. ૨૦૨૮ના વર્ષે શરૂ કરાવીને સં. ૨૦૩૩માં પૂરો કરાવ્યો. તે સ્થાને આ ભવ્ય શિખરબંધી જિનાલય બંધાવ્યું છે. આ જિનાલયના ઉત્થાપન (સં. ૨૦૨૮ના મહા વિદ ૩ ગુરુવાર તા. ૩-૨-૭૨) ખનન ૨૦૨૮ ફાગ્ણ વિદ ૧ બુધવાર ૧-૩-૭૨, શિલાસ્થાપન સં. ૨૦૨૮ ફાગણ વિદ ૮ બુધવાર તા. ૮