________________
વડોદરાનાં જિનાલયો
૨૨૨ શિક્ષણ મેળવે છે. ગામમાં આશરે ૧૦ થી ૧૫ જૈન કુટુંબો વસે છે.
' (૨૫) શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલય
ઉઢવાણ, તા. જાંબુઘોડા. જાંબુઘોડાથી ૧ કિ. મી.ના અંતરે આવેલું ઉઢવાણ ગામ મધ્યે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલું છે.
બે ગર્ભદ્વાર દ્વારા ગભારામાં પ્રવેશતાં મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની ૨૧" ની પ્રતિમા સહિત ૪ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુના પ્રતિમા બિરાજમાન
આચાર્ય શ્રી ઇન્દ્રન્નિસૂરિ મ. સા. ની નિશ્રામાં રાંકા પરિવાર (સાદડીવાળા) ના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૫ છે. તે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ ધ્વજારોહણ કરવામાં આવે છે.
પ્રાચીન ઉખાણ નામથી પ્રચલિત ઉઢવાણ ગામમાં શ્રી પાર્શ્વનાથ જૈન પાઠશાળા આવેલી છે જ્યાં આશરે ૪૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં ઉપાશ્રયનું બાંધકામનું કાર્ય હાલ ચાલુ છે.
ગામમાં હાલ આશરે ૨૦ થી ૨૫ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૧૦ વર્ષમાં ગામમાંથી ૧ વ્યક્તિએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
(૨૬) શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય
ખોડલ. તા. જાંબુઘોડા. જાંબુઘોડાથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા ખોડલ ગામ મધ્યે શ્રી વાસુપૂજ્યસ્વામીનું એક શિખરવાળું દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વાર દ્વારા ગભારામાં પ્રવેશતાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૨૩માં આચાર્ય શ્રી ઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શેઠ શ્રીવિરેન્દ્રભાઈ પોપટલાલ ભીખાચંદ ઝવેરી (મુંબઈ) પરિવારના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૦ છે. તે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે