SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો છે તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજાય છે. ગામમાં શ્રાવકોનો એક ઉપાશ્રય તેમજ શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન પાઠશાળા આવેલ છે. પાઠશાળામાં આશરે ૩૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં હાલ આશરે ૧૦ થી ૧૫ જૈન કુટુંબો વસે છે. ૨૨૩ (૨૭) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય લફણી. તા. જાંબુઘોડા. જાંબુઘોડાથી ૧૩ કિ. મી.ના અંતરે આવેલા લફણી ગામ મધ્યે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું એક શિખરવાળું દેરાસર આવેલું છે. એક ગર્ભદ્વાર દ્વારા ગભારામાં પ્રવેશતાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. વિ. સં. ૨૦૨૦માં પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વર મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી કેશવલાલ કપડવંજવાળા પરિવારના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૫ છે. તે નિમિત્તે ધ્વજા બદલવામાં આવે છે અને જમણવા૨ પણ કરવામાં આવે છે. ગામમાં શ્રાવકોનો ઉપાશ્રય - શેઠ શ્રી કેશવલાલ આરાધના ભવન તેમજ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન પાઠશાળા આવેલી છે જે હાલ બંધ છે. ગામમાં હાલ આશરે ૩૫ થી ૪૦ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ૯ વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. અહીં શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી શિખરબંધી દેરાસરના નિર્માણનું કાર્ય ચાલુ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy