________________
૨૧૬
વડોદરાનાં જિનાલયો
સં. ૨૦૧૬માં આચાર્ય શ્રી ઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી દીપચંદ લલ્લુભાઈના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૫ છે. તે નિમિત્તે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે તેમજ શ્રી રમણલાલ મગનલાલ પરિવાર તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે.
દેરાસરની પાસે શ્રાવક-શ્રાવિકા બંને માટે “શ્રી જિન સરોજ વિહાર' નામનો ઉપાશ્રય પણ છે.
(૨૦) શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલય
દેરાફળી, લુણાવાડા. તા. લુણાવાડા. ગોધરાથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલું લુણાવાડાના બજારમાં દેરાફળીમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીનું સાદા પત્થર અને આરસનું શિખરબંધી દેરાસર આવેલું છે.
૧૦ પગથિયાં ચઢતાં દેરાસરનું કમાનયુક્ત મુખ્ય પ્રવેશદ્વાર આવે છે, જયાં દિવાલ પર દેરાસરના જીર્ણોદ્ધારની વિગતો લખેલી જોવા મળે છે જે નીચે મુજબ છે.
નાની તકતીમાં :- સંવત ૧૬૯૨, શ્રાવણ સુદ ૨ શુક્રવાર શક સંવત ૧૫૬૩ હરખવિમળસૂરિ
લુણાવાડા નગરમાં શ્રી વિશા નીમા જ્ઞાતિએ બનાવેલાં શ્રી વાસુપૂજય જિનાલયનો પુન:પ્રતિષ્ઠા મહોત્સવે વિ. સં. ૨૦૨૨ના માગશર સુદ ૬ સોમવારના રોજ પૂજયપાદ તપાગચ્છીયાચાર્ય શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અભૂતપૂર્વ ઉજવાયો હતો તે પ્રસંગે મુખ્ય ગભારામાં પ્રભુજીઓને ગાદીનશીનના અમૂલ્ય આદેશો મેળવનારા પુણ્યશાળી સંઘ સેવકોની નામાવલી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી પરીખ મહાસુખભાઈ જયચંદભાઈના પત્ની જેકોરબેન તથા કુટુંબીજન, જમણી બાજુ શ્રી આદીશ્વર ભગવાન ગાંધી ચીમનલાલ લલુભાઈ અ.સૌ. ધીરજબેન તથા કુટુંબીજન, ડાબી બાજુ શ્રી સુમતિનાથ ભગવાન શાહ અમૃતલાલ લલ્લુભાઈ તથા અ. સૌ. ધીરજબેન”
તકતીમાં :- “વિ. સં. ૨૦૨૬ માણિક્ય સાગરસૂરિ - વાસુપૂજયસ્વામી વિ. સં. ૨૦૨૨ સંભવનાથ” શ્રી વાસુપૂજયસ્વામી અને બાજુના શ્રી સંભવનાથ પ્રાસાદનો પ્રવેશદ્વાર અને રંગમંડપ એક જ છે.
અહીં ડાબી બાજુ ગોખલામાં શ્રી ક્ષેત્રપાલ દાદા અને શ્રી ધરણેન્દ્ર દેવની મૂર્તિ