SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ વડોદરાનાં જિનાલયો વિ. સં. ૨૦૩૪માં આચાર્ય શ્રી વિજયઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર બાદ વિ. સં. ૨૦૧૪માં જીર્ણોદ્ધાર થયેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૬ છે. તે દિવસે દર વર્ષે શ્રી ઉદેસિંગ કંચનભાઈ જૈન, શ્રી ફત્તેસિંગ નવલદાસ જૈન, શ્રી રઘાભાઈ ગોરધનદાસ જૈન તથા શ્રી મનાભાઈ જામાભાઈ જૈન તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે. ગામમાં શ્રાવકો માટે શ્રી ઇન્દ્રન્નિસૂરિ જૈન ઉપાશ્રય તેમજ શ્રી કુંથુનાથ જૈન પાઠશાળા છે. તેમાં ૩૬ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં ૨૫ થી ૩૦ જૈન કુટુંબો વસે છે. (૧૩) શ્રી નેમિનાથ જિનાલય ખરેટી. તા. હાલોલ હાલોલથી ૩૫ કિ. મી.ના અંતરે આવેલ ખરેટી ગામમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે. એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ૧૭" ની પાષાણ પ્રતિમા તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. સં. ૨૦૧૭માં પ. પૂ. મુનિ શ્રી હેમહંસવિજયજી તથા મુનિ શ્રી કુશલસિદ્ધિ મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી ફકીરચંદ કચરાભાઈ હ. સગુણાબેન અમદાવાદવાળા પરિવારના હસ્તે દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૫ છે જે નિમિત્તે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે તેમજ ગામની પાઠશાળાના શિક્ષક શ્રી અમરસિંગ જૈન દ્વારા દર વર્ષે ધ્વજારોહણ કરવામાં આવે છે. ગામમાં શ્રી હરિશ્ચચંદ્ર જૈન ઉપાશ્રય તેમજ શ્રી હરિશ્ચચંદ્ર જૈન પાઠશાળા છે. તેમાં ૩૫ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં આશરે ૧૫ થી ૨૦ જૈન કુટુંબો વસે છે. ગામમાંથી ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy