________________
વડોદરાનાં જિનાલયો
મ. સા. ની નિશ્રામાં સુરત નિવાસી સુશ્રાવિકા શ્રીમતી ચંદનબેન માણેકલાલ નાનચંદ પરિવારના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
૨૦૫
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૩ છે. તે નિમિત્તે સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે તથા વરશનભાઈ મનાભાઈ જૈન પરિવાર તરફથી દર વર્ષે ધ્વજારોહણ કરવામાં આવે છે.
ગામમાં શ્રી ભદ્રંકર જૈન પાઠશાળા છે. તેમાં ૨૬ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં ૧૫ થી ૨૦ જૈન કુટુંબો વસે છે.
(૧૧) શ્રી આદિનાથ જિનાલય
છાન તલાવડી. તા. હાલોલ
હાલોલથી ૩૦ કિ. મી.ના અંતરે આવેલા છાન તલાવડી ગામમાં મૂળનાયક શ્રી. આદિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
સં. ૨૦૨૩માં આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરિ મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી ગુમરાજી ફત્તેચંદ શિવગંજવાળા પરિવારના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૦ છે. તે દિવસે સંઘ તરફથી ધ્વજારોહણ કરવામાં
આવે છે.
વર્તમાનમાં માત્ર ૫ જૈન કુટુંબોની વસ્તી ધરાવતા આ ગામમાં આદિનાથ જૈન ઉપાશ્રય
પણ છે.
(૧૨) શ્રી કુંથુનાથ જિનાલય
સીંગપુર. તા. હાલોલ
હાલોલથી ૩૦ કિ. મી.ના અંતરે આવેલ સીંગપુર ગામમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. આ ઉપરાંત અધિષ્ઠાયક દેવદેવીની પ્રતિમા પણ બિરાજમાન છે.