________________
૨૦૨
વડોદરાનાં જિનાલયો (૬) શ્રી કુંથુનાથ ગૃહ ચૈત્ય
પડી ડેરી. તા. જાંબુઘોડા જાંબુઘોડાથી ૧૫ કિ. મી.ના અંતરે આવેલ પડી ડેરી ગામમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું છાપરાબંધી ઘરદેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૯" ની પાષાણ પ્રતિમા તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૧માં મહા સુદ ૨ના રોજ ભગવાનની ચલ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ગામમાં શ્રી કુંથુનાથ જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૨૮ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં આશરે ૧૫ થી ૨૦ જૈન કુટુંબો વસે છે.
• • •
(૭) ખોડીયારપુરા શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય
ખોડીયારપુરા. તા. જાંબુઘોડા જાંબુઘોડા તાલુકામાં આવેલ ખોડીયારપુરા ગામમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૨૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ, ૧ ધાતુ પ્રતિમા તેમજ એક જોડ પગલાં બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા આ. શ્રી ઈન્દ્રજિત્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં થયેલ છે. હાલના આ ખોડીયારપુર ગામનું પ્રાચીન નામ ઉચેટ હતું.
ગામમાં શ્રી મુનિસુવ્રત જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૨૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૧૦ જૈન કુટુંબો વસે છે. ગામમાંથી ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.