SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વડોદરાનાં જિનાલયો ગર્ભદ્વાર એક છે. ગભારો નાનો છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની ૨૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૮ પાષાણ પ્રતિમાઓ તથા ૧૯ ધાતુ પ્રતિમાઓ છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખમાં “સંવત ૧૬૫૮ માઘશિર્ષ . . . . . . . . . . . ” આટલું જ સ્પષ્ટ વાંચી શકાય છે. ઉપર શ્રી આદિનાથ ભગવાનનું મંદિર છે જેને ત્રણ પ્રવેશદ્વાર છે. ચારેબાજુ બહાર દિવાલપર શ્રી શિખરજી, શ્રી પાવાપુરી, શ્રી શંખેશ્વર, શ્રી ભદ્રેશ્વર, શ્રી રાણકપુર, શ્રી આબુ, શ્રી અચલગઢ, શ્રી અષ્ટાપદજી, શ્રી ગિરનાર, શ્રી શત્રુંજય તીર્થના પટ ચિત્રિત છે. ગર્ભદ્વાર એક છે. ગભારો વચમાં છે અને મધ્યમ કદનો છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૨૩" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની એક બાજુ શ્રી પદ્માવતી પાર્શ્વનાથ પબાસન પર બિરાજમાન છે. અહીં કુલ ૧૦ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે. “શ્રી ઋષભ જિનબિંબ સં. ૧૮૪૪ વર્ષે વૈશાખ સુકલ પક્ષે ૧૦ ગુરૌ તપાગચ્છે આ. શ્રી . વિજયજિનેન્દ્રસૂરિ રાજય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીય રાઘવ ધોવ સુતસેભાઈ દાસન કારાપિત શ્રી વિજયાનંદસૂરિગચ્છીય ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરિભિઃ” ભોંયતળીયેથી ૧૦ પગથિયાં નીચે ઉતરીને ભોંયરામાં છેક અંદર જવાથી નાના ગભારામાં જવાનો રસ્તો છે જ્યાં મૂળનાયક શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની ૨૫" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૨ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ છે તથા ઇંદ્ર-ઇંદ્રાણીની આકૃતિ છે. મૂળનાયક ભગવાનની બાજુમાં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા પર “સં. ૧૮૪૪ વર્ષે વૈશાખ માસે શુક્લ પક્ષે ૧૦ શ્રી વિજયલક્ષ્મીસૂરિભિ” એ મુજબ વાંચી શકાય છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ બિંબ ખરતરગચ્છ સંવત ૧૮૪૪ વર્ષે વૈશાખ સુદ-૧૦ શ્રી વિજયાનંદસૂરીગચ્છ વિજયલક્ષ્મી સૂરિભિ" દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૨૦૦૯ના મહા સુદ-૧૦ના રોજ શ્રી સમુદ્રવિજય મ. સા. એ કરાવેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ-૧૦ છે. જે નિમિત્તે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. તે માટે ચઢાવો બોલવામાં આવે છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે. ગામમાં એક પુરુષ અને એક બહેનનો ઉપાશ્રય છે. એક જ્ઞાનભંડાર છે જેમાં ૪00૫OO પુસ્તકો છે. સાધુ-સાધ્વીજી ભગવંત લાભ લે છે. સાધુ-સાધ્વીજી ભગવંત વિહારના આઠ માસ દરમ્યાન દરરોજ આશરે ૧૦-૧૨ ની સંખ્યામાં અત્રે પધારે છે. ઉપાશ્રય, દેરાસરનો સમગ્ર વહીવટ શ્રી જૈન શ્વેતાંબર દેરાસર, આમોદના હસ્તક છે. ગામમાં કુલ ૩ દેરાસર છે અને હાલ કુલ ૨૫૦ કુટુંબ વસે છે. ગામની ૧૧ છોકરીઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy