________________
વડોદરાનાં જિનાલયો
દરરોજ તેઓ પ્રભુજીનાં દર્શન, પૂજન, ભક્તિ કરે છે.
ગામમાં એક માળનો સં. ૨૦૩૫માં બનાવેલ જૈન શ્વે. મૂ. પૂ. ઉપાશ્રય છે જે બિસ્માર હાલતનો છે પરંતુ, વિહારકાળ દરમ્યાન સાધુ-સાધ્વીજી ભગવંતોના રોકાણ માટે ઉપયોગમાં લેવાય છે.
ગામ – દહેજ તાલુકો - વાગરા.
–
૩૮. શ્રી મહાવીરસ્વામી જિનાલય (સં. ૧૮૮૮)
૧૮૫
વાગરાથી ૩૦ કિ. મી.ના અંતરે આવેલાં દહેજ ગામમાં બજારમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર આવેલું છે. આ એક શિખરબંધી અને આરસમઢિત દેરાસર છે. આ દેરાસરની સ્થિતિ સારી છે.
જાળીવાળા ઝાંપામાં પ્રવેશતાં પ્રવેશચોકીના મુખ્ય બે થાંભલા પર મોટા દ્વારપાળની કૃતિ તથા તેની ઉપર બે બાજુ બે દેવીઓની કૃતિ છે. ચોકીની ત્રણ બાજુએ મગરમુખી કમાન તથા તેની ઉપરના ભાગમાં લક્ષ્મી દેવીની આજુબાજુ હાથીની રચના છે. ત્રણ પ્રવેશદ્વાર છે. પ્રવેશદ્વારની બારસાખ પર રંગીન કોતરણી છે. પ્રવેશદ્વારની એક બાજુના ગોખલામાં વિજ્યા શેઠાણીની પ્રતિમા છે તેમની ઉપર શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિમા છે. બીજી બાજુના ગોખલામાં વિજય શેઠની પ્રતિમા છે તેમની ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે.
બહારના ભાગમાં દિવાલ પર પ્રશસ્તિ લખેલ છે જે નીચે મુજબ છે.
“શાસનપતિશ્રીમહાવીરજિનેન્દ્રાય નમઃ
પ્રવચન પ્રભાવક વિજયમોહનસૂરીશ્વર પ્રતાપસૂરીશ્વરાભ્યાં નમઃ જૈન શાસનના મહાપ્રભાવક યુગદિવાંકર પૂજ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી દહેજનગરના આ શ્રી મહાવીરસ્વામી ભગવાનના પ્રાચીન જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર મૂળનાયક શ્રી મહાવીરસ્વામી પ્રભુજીને કાયમ રાખીને થયા બાદ તૈયાર થયેલાં નૂતન ભવ્યમહાપ્રાસાદમાં શ્રી મૂળનાયક પ્રભુજી સિવાયની તમામ જિનપ્રતિમાઓની પુનઃપ્રતિષ્ઠા ગાદીનશીન વિધિ વિ. સં. ૨૦૨૫ વૈશાખ વદ-૬ તા. ૭-૫-૧૯૬૯ ને બુધવારે શુભમુહૂર્તે ૫. પૂ. પરોપકારી યુગદિવાકર આચાર્ય ભગવન્ત શ્રી તેઓ તથા તેઓશ્રીના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યો પૂ. મુનિરાજ શ્રી મહાનન્દ્રવિજયજી મહારાજ તથા પૂ. વ્યા. વા. ન્યા. તીર્થ મુનિરાજ શ્રી સૂર્યોદયવિજયજી મહારાજ આદિ વિશાળ મુનિમંડળની પુણ્ય નિશ્રામાં ભવ્યમહોત્સવ સાથે કરવામાં આવેલ છે.
દહેજ શ્રી શ્વે. મૂ. જૈન સંઘ”
રંગમંડપમાં દિવાલ પ૨ શ્રી ભદ્રેશ્વર, નીચે શ્રી ગિરનાર, શ્રી અષ્ટાપદજી, શ્રી નાગેશ્વર, શ્રી