________________
વડોદરાનાં જિનાલયો
૧૮૩
કોતરણીવાળી છે. રંગમંડપમાં બે બાજુ બે-બે અન્ય પ્રવેશદ્વાર છે. રંગમંડપ મધ્યમ કક્ષાનો છે. મુખ્ય પ્રવેશદ્વારની ઉપર તથા ગર્ભદ્વાર પર અનેક તીર્થના પટ આવેલાં છે જેમ કે શ્રી આબુ, શ્રી ગિરનાર, શ્રી અષ્ટાપદ, શ્રી સમેતશિખર, શ્રી શત્રુંજય, શ્રી શંખેશ્વર તીર્થના દિવાલ ઉપર ઉપસાવેલ રંગીન પટ આવેલ છે. રંગમંડપમાં સાદા પત્થરના થાંભલા સફેદ રંગથી રંગેલા છે. રંગમંડપના ગોખમાં શ્રી સીમંધરસ્વામી અને શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે.
- ગર્ભદ્વાર એક છે. મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની સુંદર પરિકરવાળી ૨૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે.
“શ્રી સંભવનાથ જિનબિંબ લાટ દેશે ભૃગુકચ્છ સમીપ0 વાગરા ગ્રામવાસી જે. મૂ. પૂ. જૈન શ્રી સંઘેન સ્વ શ્રેયસે કારિત પ્રતિષ્ઠાપિત શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય નેમીસૂરીશ્વર પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીભિઃ શાસનસમ્રાટ ભટ્ટા. આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વર ભટ્ટા. આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીભિઃ તથા તત્પટ્ટઃ વિજયચંદ્ર. . . . અમદાવાદ મધ્યે સાબરમતી રાજનગરે શ્રી વિજયકસૂરસૂરિ પટ્ટ શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વર ઉપદેશેન શ્રી સંઘેન કારિતા અંજનશલાકા પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ મહોત્સવે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ચૈિત્ય- વિ. સં. ૨૦૩૨”
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૧ના પોષ વદ – ૬ના રોજ થઈ હતી, જેમાં મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ શેઠ શ્રી વલ્લભદાસ ગફલચંદ દેસાઈ પરિવારે લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિએ ધ્વજારોપણનો મહોત્સવ થાય છે તે માટે ચઢાવો બોલાય છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે અને પ્રભાવના થાય છે.
એક ઉપાશ્રય છે. ઉપાશ્રય અને દેરાસરનો સમગ્ર વહીવટ શ્રી વાગરા જૈન શ્વે. મૂ. પૂ. સંઘના હસ્તક છે. ગામમાં જૈનોનાં લગભગ ૧૫ કુટુંબ વસે છે. આ ગામમાંથી છેલ્લા ૧૦ વર્ષમાં બે બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન હતા. અહીં ૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૯૯૯માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ નગીનદાસ તેનો વહીવટ કરતાં હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૯૯નો છે.