________________
૧૭૬
વડોદરાનાં જિનાલયો
આજુબાજુનાં દ્વાર પણ લાકડાની કોતરણીવાળાં છે. રંગમંડપની બહારની બે બાજુમાં આપણી ડાબી બાજ શ્રી ગૌતમસ્વામી, જમણી બાજ શ્રી વિજયાનંદસરીશ્વરજી મ. સા. ની પ્રતિમાઓ છે. બહારની બાજુ બે દેરીઓમાં શ્રી માણિભદ્રવીર તથા શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ બિરાજમાન છે.
એક ગર્ભદ્વારયુક્ત ગભારામાં ૩ આરસના પ્રતિમાજી છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની અષ્ટમહાપ્રતિહાર્યયુક્ત પ્રતિમા ૨૧" ની છે. ડાબા ગભારે શ્રી જીરાવલા પાર્શ્વનાથ, જમણા ગભારે શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. દરેક ભગવાનની પાછળ આરસમાં ઉપસાવેલ પટ છે જેમાં ત્રિશલા માતા, ૧૪ સ્વપ્ન, અષ્ટમંગલ ઉપસાવેલાં છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર લેખઃ “વિક્રમ સંવત ૨૦૨૫ માગશર સુદ ૧” વંચાય છે.
નીચે ભોંયરામાં શ્રી આદીશ્વર દાદાની ૩૧"ની અષ્ટમહાપ્રતિહાર્ય યુક્ત પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીના નીચેના ભાગમાં આ પ્રમાણે લેખ છે :
વીર સં. ૨૫૨૫, વિ. સં. ૨૦૫૫, મહા સુદ ૫ શુક્રવારે- પ્રતિષ્ઠા કરાવનાર શ્રી વિજયઈન્દ્રન્નિસૂરીશ્વરજી. પ્રતિષ્ઠા કરનાર- તારાબેન ચુનીલાલ મહેતા પરિવાર”
શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા. નું ગુરુમંદિર છે. આ દેરાસરની વર્ષગાંઠ તિથિ તારીખ પ્રમાણે ઉજવાય છે જે ૪-૬-૯૫ છે. શ્રી જુગરાજજી ધનરાજજી ખાતેડ સાદડી રાણકપુરવાળા હાલ સુરત પરિવાર દ્વારા ગુરુમંદિરની ધ્વજા તથા દેરાસરની વર્ષગાંઠના દિવસે ભરૂચનિવાસી શ્રી ભરતભાઈ શ્રોફ દ્વારા ધ્વજા ચડાવાય છે. તે દિવસે લાડવાની પ્રભાવના અને શ્રીસંઘજમણ રાખવામાં આવે છે.
દેરાસરનો વહીવટ શ્રી આત્માનંદ જૈન ગુરુકુળના ટ્રસ્ટી મુંબઈ નિવાસી શ્રી દામજીભાઈ કે. છેડા, ભરૂચ નિવાસી ડૉ. કે. ટી. શાહ હસ્તક છે. અહીં આત્માનંદ જૈન ગુરુકુળ નામની પાઠશાળા ચાલે છે. પાઠશાળામાં કુલ ૬૫ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. ૪૫ વર્ષની ઉંમરના શ્રી ભાવસિંગભાઈ જૈન ધાર્મિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દેરાસરનું ઑફિસ કાર્ય પણ તેઓ જ સંભાળે છે.
જિનાલયનો સમય સં. ૨૦૦૮નો છે.
ગામ - લીમેટ તાલુકો - ઝગડિયા.
૨૬. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૯૯૩) વાલિયાથી ૬ કિ. મી. દૂર ઝગડિયા જવાના રસ્તે લીમેટ ગામ આવેલું છે. ૫૦ વર્ષ પહેલાં ગામમાં ઘરદેરાસર હતું. વિ. સં. ૨૦૧૬માં ફાગણ સુદ ૭ તા. ૧૨-૩-૨૦OOના દિવસે શિખરબંધી એવું નીચે ઉપાશ્રય અને પ્રથમ માળ ઉપર નાનકડું પણ સુંદર જિનાલય બંધાવવામાં આવ્યું છે. તેની પ્રતિષ્ઠા પૂ. પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં થયેલી છે.