________________
વડોદરાનાં જિનાલયો
૧૭૫
ગામ – માંડવા તાલુકો - અંકલેશ્વર.
૨૪. શ્રી સુમતિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૫૩)
ભરૂચ-અંકલેશ્વરના મેઈન હાઈવે પ૨, ભરૂચથી ૧૦ કિ.મી. દૂર, મુખ્ય માર્ગથી ૧.૫ કિ.મી. અંદર માંડવા ગામનાં જૈન ફળિયામાં પશ્ચિમાભિમુખ એવું ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે. નીચે ઉપાશ્રય છે અને ઉપરના માળ પર દેરાસર છે.
એક પ્રવેશદ્વારવાળા લાંબા કદના એક ઓરડામાં જાળીવાળા દરવાજાની સામે અંદર આરસની છત્રીમાં આરસના પબાસન પર ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. જેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા ૧૧" ની છે. છત્રીની ઉપર શિખરની રચના કરવામાં આવેલી છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ૫૨ નીચે મુજબ લેખ છે.
“પૂ. આ. શ્રી યશોવર્મસૂરિ મ. ની પ્રેરણાથી સૌ. ભારતીબેન, અમીત, પૂજાઆત્મશ્રેયાર્થે સં. ૨૦૫૨ ફા. સુ. (૧૦) પ્રથમ પ્રતિષ્ઠિતુંઃ’
દેરાસરમાં દિવાલ ૫૨ શ્રી શંખેશ્વર તીર્થનો ચિત્રિત પટ છે. બીજાં ઘણાં તીર્થોના ફોટા પણ મૂકવામાં આવ્યાં છે.
અગાઉ પંદરેક વર્ષ પૂર્વે ઝગડિયાથી શ્રી સુમતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા પરોણા દાખલ કરવામાં આવેલ પરંતુ, સાતેક વર્ષ અગાઉ ચોરાઈ જવાથી આ નવાં પ્રતિમાજી અને સિંહાસન સ્વ. ધરમચંદ સ્વરૂપચંદ શાહના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી માંડવા શ્રી જૈન સંઘને અર્પણ કરવામાં આવ્યાં છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૩નો છે.
ગામ – ઝગડિયા તાલુકો - ઝગડિયા.
-
–
૨૫. શ્રી મહાવીરસ્વામી જિનાલય (સં. ૨૦૦૮)
પ્રાચીન જગદીશપુર નામ ધરાવતાં હાલ ઝગડિયા નામથી પ્રસિદ્ધ એવા ગામમાં બે માળનું, શિખરબંધી દેરાસર આવેલું છે. દેરાસરની પ્રતિષ્ઠા શ્રી વલ્લભસૂરિજી મ. સા. ની નિશ્રામાં શ્રીમતી પાર્વતીબેન દીપચંદભાઈ દ્વારા ઈ. સ. ૧૯૫૨માં ફાગણ સુદ ૫ ના દિવસે થઈ છે.
પહેલાં જૂનું ઘરદેરાસર હતું. અત્યારે આરસનું, મોટું, શિખરબંધી, ભોંયરાવાળું દેરાસર છે. દેરાસરમાં પ્રવેશતાં આપણી જમણી બાજુ ગોખમાં શ્રી સરસ્વતી દેવી, ડાબી બાજુ ગોખમાં શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે. ૨૧ પગથિયાં ચઢતાં રંગમંડપનો પ્રવેશદ્વાર તથા