________________
૧૬૮
વડોદરાનાં જિનાલયો
છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૭ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૯૫૬માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. તેનો વહીવટ શેઠ ભોગીલાલ મોતીલાલ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
નૂતન જિનાલયની પાસે હાલ જે ઉપાશ્રય છે તેવા મકાનમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી શ્રી પદ્મપ્રભસ્વામી અને શ્રી ચંદ્રપ્રભસ્વામી બિરાજમાન હતા જેનો વહીવટ આજથી ૬૦ વર્ષ અગાઉ શેઠ શ્રી કાનજીભાઈ તલકચંદ ઈન્દોરવાળા કરતા હતા. જૈનોની વસ્તી વધતાં નૂતન જિનાલય બનાવવાનું નક્કી કર્યું અને સં. ૨૦૦૮માં શિલાન્યાસ કરવામાં આવ્યો.
આ સમય દરમિયાન પાલેજની પાસેના પાદરીયા ગામમાં બિરાજમાન શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી ચન્દ્રપ્રભસ્વામી આદિ જિનબિંબોને તે ગામમાં જૈનોનું એક પણ ઘર ન રહેતાં પાલેજમાં લાવીને પરોણાગત સ્થાપન કરવામાં આવ્યા.
નૂતન જિનાલયના શિખરમાં શ્રી શાંતિનાથજી, શ્રી આદિનાથજી તથા શ્રી નેમિનાથજીના નૂતન બિંબ ભરાવી પ્રતિષ્ઠિત કરવાનું નક્કી કરવામાં આવ્યું અને જિનાલયનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં સં. ૨૦૧૦માં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં વૈ. સુ. ૫ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી.
મૂળનાયક શ્રી મહાવીરસ્વામી : શેઠ શ્રી ચુનીલાલ તલકચંદ ભોંયરામાં શ્રી મુનિસુવ્રતસ્વામી : શેઠ શ્રી દીપચંદ લક્ષ્મીચંદ શિખરમાં શ્રી શાંતિનાથ : શેઠ શ્રી લાલચંદ ભાઈચંદના હસ્તે, જિનાલયનો સમય સં. ૧૯૫૮નો છે.
ગામ – ગડખોલ તાલુકો - અંકલેશ્વર.
૧૯. શ્રી પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૮) અંકલેશ્વરથી ૪ કિ. મી.ના અંતરે આવેલ ગડખોલ ગામમાં પાર્થનગર સોસાયટીમાં પ્રવેશતાં જમણી બાજુ નાનું ધાબાબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. આરસનું એક માળનું જિનાલય છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ફણા સહિત ૧૭" ની છે. સફેદ આરસનાં આ પ્રતિમાજી ઉપર શ્યામ રંગના નાગની ફણા છે. બંને ખભા ઉપર સોનેરી રંગના નાગની આકૃતિ છે. દેરાસરમાં ૧ પાષાણ પ્રતિમા તથા ર ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં વિ. સં. ૨૦૫૮ના વૈશાખ સુદ પાંચમના દિવસે થયેલ છે.