SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૬૭ શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ તથા કેવળજ્ઞાનના પ્રસંગના જુદા-જુદા પટોથી દેરાસરના રંગમંડપની ત્રણે બાજુની દિવાલો સુશોભિત બનાવવામાં આવી છે. વળી દિવાલના નીચેના ભાગમાં આરસ પર ૧૪ સ્વપ્ન ચિત્રિત કરેલાં નજરે પડે છે. વચ્ચે નાનો ગભારો છે. જેમાં કુલ ૫ આરસપ્રતિમા તથા ૩ ધાતુ પ્રતિમાઓ છે. મૂળનાયક ભગવાન શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ૧૧" ની છે. જેની ઉપર કોઈ લેખ નથી, પરંતુ જમણી બાજુ શ્રી અભિનંદન સ્વામીની પ્રતિમા પર સં. ૧૬૮૨ વાંચી શકાય છે. ભોંયરામાં ઉતરવાનાં પગથિયામાં અધવચ્ચે બે બાજુ બે કાચના કબાટમાં સુંદર બે પૂતળીઓ મૂકેલ છે. ભોંયરામાં પણ ત્રણે બાજુ જુદા-જુદા પટો છે. જે પૈકી શ્રી પાર્શ્વપ્રભુને કમઠનો, શીલાઘાતનો ઉપસર્ગ અને પ્રભુજીનો ઉપદેશ, મેઘમાળીનો ઉપસર્ગ, શ્રી મુનિસુવ્રતસ્વામીનો અશ્વને પ્રતિબોધ તથા સમડી વિહારના પટો છે. એક ગોખલામાં શ્રી માણિભદ્રવીરની આરસની પ્રતિમા છે. ગભારામાં મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીની ૧૫" ની પ્રતિમા, તેની આજુબાજુ બે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરસપ્રતિમા મળી કુલ ૩ આરસ પ્રતિમા તથા ર ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ઉપરના માળે શિખરની અંદરના ભાગમાં અગાશીમાં એક ઓરડીમાં પબાસન પર ૩ આરસ પ્રતિમા છે. જેમાં શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની પ્રતિમા મૂળનાયક તરીકે છે. ત્રણેય પ્રતિમાજી ત્રણ નાની છત્રીમાં બિરાજમાન છે. જ્યાં મૂળનાયક ભગવાનની છત્રી પર શિખરની અને આજબાજુનાં ભગવાનની છત્રી પર ઘુમ્મટની સુંદર રચના છે તથા પાછળની દિવાલ પર અષ્ટપ્રતિહાર્ય સોનેરી રંગથી ચિત્રિત છે. પબાસનની નીચેના ભાગમાં શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર, શ્રી શત્રુંજય તીર્થના પટ પત્થર પર ઉપસાવીને સુંદર બનાવેલ છે. જૈનોનાં ૮૫ કુટુંબની વસ્તી ધરાવતાં ગામમાં આ એક જ દેરાસર છે અને બાજુમાં ભાઈઓનો અને બહેનોનો એમ અલગ-અલગ ઉપાશ્રય છે. ઉપરાંત ધાર્મિક પ્રસંગો યોજવા માટે જૈનવાડી પણ છે. “જૈન હેમચંદ્રાચાર્ય પાઠશાળા” નામે ઉપાશ્રયમાં ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પાઠશાળા ચાલે છે તથા જ્ઞાનભંડારમાં આશરે ૨૦૦૦ જેટલાં પુસ્તકો પણ છે. શેઠ કાંતિલાલ વર્ધમાનની પેઢી હસ્તક વહીવટ ધરાવતાં આ દેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦ના વૈશાખ સુદ-૫ આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજીની નિશ્રામાં શેઠ શ્રી ચુનીલાલ તલકચંદના હસ્તે થઈ હતી. દર વર્ષે ચઢાવો બોલીને વર્ષગાંઠના દિવસે ધ્વજારોપણ મહોત્સવ થાય છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામની ૬ મુમુક્ષુ બહેનોએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૯૫૮માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ થયો છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy