SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧દદ વડોદરાનાં જિનાલયો જ જિનબિંબો ભરૂચથી લાવી બિરાજમાન કરેલ છે. ” દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૪ છે. તે દિવસે ધ્વજારોપણ તથા જમણવાર થાય છે. દેરાસર તથા ઉપાશ્રયનો સમગ્ર વહીવટ શ્રી શ્વેતાંબર મૂ. પૂ. જૈન સંઘ, ભાડભૂત હસ્તક છે. જિનાલયનો સમય સં. ૨૦૪૪નો છે. ગામ - પાલેજ તાલુકો - ભરૂચ. ૧૮. શ્રી મહાવીરસ્વામી જિનાલય (સં. ૧૯૫૮) ભરૂચથી ૩૦ કિ. મી.ના અંતરે આવેલા પાલેજ ગામમાં બજાર મધ્યે આવેલ વાણીયા શેરીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર આવેલ છે. સામરણયુક્ત એક શિખર ધરાવતાં અને ત્રણ માળના આ આરસમઢિત દેરાસરની સ્થિતિ સારી છે. પહેલાં જૂનું દેરાસર હતું એ દેરાસરની જગ્યાએ હાલ ઉપાશ્રય બનાવેલ છે અને બાજુમાં આ નવું દેરાસર સં. ૨૦૧૦માં બનાવેલ છે જેને બહાર મુખ્ય માર્ગ પર અને પાછળ શેરીમાં એમ બે બાજુ દ્વાર છે. શેરીમાં પડતાં લોખંડના દ્વારની ઉપર બે બાજુ હાથી અને નીચેના ભાગમાં દ્વારપાળની કૃતિ છે. તથા મુખ્ય પ્રવેશદ્વાર ઉપર શ્રી સરસ્વતી દેવી અને અન્ય બીજી પૂતળીઓ છે. દ્વારની બે બાજુ કાચકામથી ઉપસાવેલ અને ચિત્રિત કરેલ દ્વારપાળની આકૃતિઓ સુંદર દીપે છે. અહીં આવવા માટે બાજુમાં ઉપાશ્રયમાં થઈને આવવાનો રસ્તો છે. જેમાં શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. ની મૂર્તિ તથા પગલાં એક દેરીમાં પધરાવેલ છે. વળી ઉપાશ્રયમાં એક ગોખલામાં ક્ષેત્રપાળ પ્રતિષ્ઠિત છે. દેરાસરના દ્વારની બહારની બાજુમાં એક દેરીમાં શ્રી ઘંટાકર્ણ વીરની પ્રતિમા છે. આ દેરીની ઉપર સુંદર તોરણો છે અને પૂતળીઓ પણ છે. રંગમંડપમાં પ્રવેશવા માટે ૪-૫ પગથિયાં ચઢવાનાં છે અને ત્યાંથી જ ભોંયરામાં પણ જવાનો રસ્તો છે. મોટા રંગમંડપમાં દિવાલો પર સુંદર રંગીન પટો છે તથા ઘુમ્મટના ભાગમાં ૨૪ તીર્થકર પરમાત્મા, યક્ષ-યક્ષિણી તથા શ્રી વીર પ્રભુના ૨૭ ભવ ચિત્રિત કરેલાં જોવા મળે છે. રંગમંડપમાં એક ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની આરસની અને બીજાં એક ગોખલામાં શ્રી માણિભદ્રવીરની શ્યામ આરસની પ્રતિમા છે. વળી યક્ષ-યક્ષિણીના પણ ગોખ છે. રંગમંડપમાં ચિત્રિત પટોમાં વિશિષ્ટ પ્રકારનું કાચકામ પણ જોવા મળે છે. શ્રી અષ્ટાપદજી, શ્રી તળાજા, શ્રી આબુજી, શ્રી કદંબગિરિ, શ્રી થાણા, શ્રી મક્ષીજી, શ્રી ઈડર, શ્રી રત્નપુરી, શ્રી ભદ્રેશ્વર, શ્રી કુંડલપુર, શ્રી કટારિયા, શ્રી મેરૂશિખર તીર્થ, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી રાણકપુર, શ્રી મહિમાપુર, શ્રી ચંપાપુરી, શ્રી શત્રુંજય, શ્રી કેશરીયાજી, શ્રી ગીરનારજી, શ્રી ભોંયણી, શ્રી રાજગિરિના પાંચ પહાડ, શ્રી તારંગા, શ્રી સમેતશિખર, શ્રી શંખેશ્વર, શ્રી પાવાપુરી આદિ તીર્થો ઉપરાંત શ્રી વીર પ્રભુના કાને ખીલા ઠોકવાનો ગોવાળીયાનો તથા ખીલા કાઢવાનો લુહારનો પ્રસંગ, સંગમ દેવનો અને
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy