________________
વડોદરાનાં જિનાલયો
૧૬૫
શાહ, શ્રી મહેન્દ્રકુમાર કાંતિલાલ શાહ, શ્રી ઇન્દુલાલ ઝવેરચંદ શાહ હસ્તક છે. દેરાસરની સ્થિતિ સારી છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧૨ પાષાણ પ્રતિમાઓ તથા ૮ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૯૨૬માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૯૦૧માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ મણિલાલ નાથાલાલ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૨૬નો છે.
ગામ – ભાડભૂત તાલુકો- ભરૂચ.
૧૭. શ્રી પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૪૪) ભરૂચથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલાં અને માત્ર ચાર જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં ગામ મધ્યે બજારમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલ છે. આરસમઢિત આ ધાબાબંધી દેરાસરની સ્થિતિ સારી છે.
નીચે ભોયતળીયે ઉપાશ્રય છે અને પંદરેક પગથિયાં ચઢીને ઉપર દેરાસર છે. લાંબા રંગમંડપમાં સામ-સામે નાના ગોખમાં શ્રી અંબિકા દેવી, શ્રી પદ્માવતી દેવી, શ્રી પાર્શ્વ યક્ષ અને શ્રી ગૌતમસ્વામીની આરસની પ્રતિમા છે. પછી સામે વચ્ચે પબાસન પર છત્રીમાં ૩ આરસ પ્રતિમાઓ બિરાજમાન છે. છત્રીની ઉપરના ભાગમાં વચ્ચે શિખરની અને આજુબાજુ ઘુમ્મટની રચના કરવામાં આવી છે. અન્ય ૪ ધાતુ પ્રતિમાઓ પણ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરસની પ્રતિમા ૧૯" ની છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“શ્રી ગોડી પાર્શ્વનાથ જિનબિંબ / સંવત ૧૮૪૯ વર્ષે . . . . . . . . . . . . ફાલ્ગન સુદી-૫ શુક્રવાસરે ઓસવાલ જ્ઞાતીય . . . . . . . . . . . કારાપિત.”
પબાસન પર લખેલ પ્રશસ્તિ નીચે મુજબ છે.
“વિ. સં. ૨૦૪૪ના મહા સુદ ૪ના શુભ દિવસે ભરૂચ તીર્થોદ્ધારક પૂ. આ. શ્રીમદ્ વિક્રમસૂરીશ્વરજી મ. સા. પટ્ટશિષ્ય શ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા ૮ તથા માતૃદયા સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજી વિશાળ પરિવારની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક ગચ્છનાયક શાંત તપોમૂર્તિ પૂ. આ. શ્રી નવીનસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાથી કરાવેલ છે. બધા