SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૫૯ પરની ધ્વજા દર વર્ષે ચઢાવો બોલીને બદલવામાં આવશે. આ ઉપરાંત એક ધાતુની પ્રતિમા છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “સંવત ૧૯૬૬ વર્ષે વૈશાખ સુદિ સાતમ. . . . . ” દેરાસર અને ઉપાશ્રયનો સમગ્ર વહીવટ શ્રી ઝાડેશ્વર રોડ જૈન મૂર્તિપૂજક સંઘના હસ્તક છે. જિનાલયનો સમય સં. ૨૦૫૯નો છે. ૧૨. શ્રી અજિતનાથ જિનાલય (સં. ૧૯૭૧) ખત્રીવાડ, કબીરપુરા, ભરૂચ. ભરૂચના કાશીપુરા મધ્યે દાંડીયા ગલી પાસે થોડા ચઢાણ ઉપર પૂર્વાભિમુખ ત્રણ ઘુમ્મટ ધરાવતું શ્રી અજિતનાથ ભગવાનનું લગભગ ૧૦૦ વર્ષ પ્રાચીન જિનાલય આવેલું છે. આરસનું બનેલું મધ્યમ સ્થિતિનું આ દેરાસર છે. બાર પગથિયાં ચઢતાં બે બાજુ પત્થરમાં હાથીના શિલ્પ બનાવેલ છે. ઓટલા ઉપર પગથિયાંની બે બાજુ ૪-૪ પત્થરનાં થાંભલા છે. મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર છે. દેરાસરના ત્રણેય પ્રવેશદ્વાર જાળીવાળા કાષ્ઠના છે. રંગમંડપમાં બે બાજુ બે પ્રવેશદ્વાર છે. વચ્ચે મોટા ઘુમ્મટમાં ચિત્રકામ છે જેમાં (૧) શ્રી શ્રેયાંસકુમાર શ્રી ઋષભદેવને પારણું કરાવે છે. (૨) શ્રી બાહુબલીજીને બ્રાહ્મી અને સુંદરી દ્વારા “ગજ થકી હેઠા ઉતરો”નો ઉપદેશ (૩) ભગવાન શ્રી મહાવીરને ચંડકૌશીકનો ઉપસર્ગ (૪) ભગવાન શ્રી મહાવીરને શૂલપાણિ યક્ષનો ઉપસર્ગ (૫) બળભદ્ર મુનિ અને કઠિયારો (૬) ચંદનબાળા શ્રી મહાવીરસ્વામીને બાકુળાનું પારણું કરાવે છે. (૭) આર્દમુનિને હાથી પ્રણામ કરે છે. (૮) શ્રી પાર્શ્વનાથજી, મેઘમાળી, ધરણેન્દ્ર, પદ્માવતી દેવી છે. ગભારાની બહાર અલગ-અલગ ગોખમાં તપાગચ્છાધિરાજ શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના શિષ્ય અને શ્રી સિદ્ધિવિજયગણિની આરસ પ્રતિમા છે. શ્રી ગૌતમસ્વામીની આરસની પ્રતિમા પણ છે. રંગમંડપમાં ડાબી બાજુ ગોખમાં શ્રી મહાયક્ષ અને જમણી બાજુ ગોખમાં શ્રી અજિતબાલા યક્ષિણીની આરસ પ્રતિમા છે. એક ગોખમાં આરસના શ્રી અંબિકા દેવી છે. શ્રી પાવાપુરી, શ્રી આબુજી, શ્રી સમેતશિખરજી, શ્રી અષ્ટાપદજી, શ્રી તારંગાજી, શ્રી શત્રુંજય તીર્થના પત્થર વડે ઉપસાવેલાં પટ છે. ગર્ભદ્વાર ત્રણ છે જે કાષ્ઠનાં બનેલાં છે. સળીયાની જાળીવાળાં છે. ગર્ભદ્વારની ઉપર દેવ-દેવીનાં ચિત્રકામ છે. મુખ્ય ગભારાની બારસાખ જેસલમેરી પત્થરની છે અને બે બાજુના ગર્ભદ્વારની બારસાખ આરસની છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમાની
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy