________________
૧૪૪
વડોદરાનાં જિનાલયો દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૨ છે જે નિમિત્તે શ્રી સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ લહાણું આપવામાં આવે છે તથા મુંબઈ નિવાસી શ્રી સુરેશભાઈ રમણિકલાલ દાઠાવાળા પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
દેરાસરની બાજુમાં શ્રી જે. મૂ. પૂ. જૈન ઉપાશ્રય શ્રાવક-શ્રાવિકા બંનેના ઉપયોગ માટે છે તેમજ આ જ વિસ્તારમાં શ્રી સુવિધિનાથ જૈન પાઠશાળા ચલાવવામાં આવે છે.
ગામમાં હાલ ૩૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ૧ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી છે. જિનાલયનો સમય સં. ૨૦૪૧નો છે.
• • • ગામ : લોઢણ તાલુકો સંખેડા
૬૭. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય સંખેડાથી ૩૦ કિ. મી.ના અંતરે આવેલ લોઢણ ગામમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક ધાતુ પ્રતિમા ધરાવતું ઘરદેરાસર છે.
આ ગામમાં શ્રી પાર્શ્વનાથ પાઠશાળા ચાલે છે જેમાં આશરે ૩૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
દેરાસરનું કામ ચાલું છે. ભગવાનની પ્રતિષ્ઠા થયેલ નથી.
ગામ : કંબોઈ તાલુકો : સંખેડા
૬૮. શ્રી નમિનાથ જિનાલય (સં. ૨૦૩૨) સંખેડાથી ૩૦ કિ. મી.ના અંતરે આવેલા કંબોઈ ગામમાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૩૨માં સુશ્રાવિકા શ્રીમતી પ્યારીબેન (નાકોડાવાળા)ના હસ્તે ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૨ છે જે નિમિત્તે ગ્રામજનો ભેગા મળી ધ્વજારોપણ કરે છે.
ગામમાં શ્રાવકનો કંબોઈ જૈન ઉપાશ્રય છે. જિનાલયનો સમય સં. ૨૦૩રનો છે.