SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગામ : સાગવા તાલુકો : સંખેડા ૬૩. શ્રી પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૨) વડોદરાનાં જિનાલયો સંખેડા તાલુકાથી ૧૮ કિ. મી.ના અંતરે આવેલ સાગવા ગામમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલું છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ૧૩" ની અને શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથની ૯" ની પાષાણ પ્રતિમા તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૫ છે. દેરાસરની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિક્ષસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં સં. ૨૦૫૨માં થયેલ છે. ગામમાં શ્રી પાર્શ્વનાથ જૈન પાઠશાળા છે જેમાં આશરે ૩૯ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૨નો છે. ગામ : રાજપરી તાલુકો : સંખેડા ૬૪. શ્રી સુપાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૩૭) સંખેડાથી ૨૦ કિ. મી.ના અંતરે આવેલ રાજપરી ગામમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલું છે. એક ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. વિ. સં. ૨૦૩૭માં વૈશાખ સુદ ૭ના દિવસે દેરાસરની પ્રતિષ્ઠા થયેલ, દર વર્ષે વર્ષગાંઠને દિવસે શ્રી સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ શ્રી જગદીશચંદ્ર રતીલાલ શાહ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે. ગામમાં શેઠ શ્રી જગદીશચંદ્ર રતીલાલ શાહ જૈન ઉપાશ્રય-શ્રાવકનો ઉપાશ્રય તેમજ શ્રી સુપાર્શ્વનાથ જૈન પાઠશાળા આવેલ છે જેમાં ૨૫ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં હાલ આશરે ૧૧ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૩૭નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy