________________
વડોદરાનાં જિનાલયો
૧૩૯
ગામ : જેસીંગપુરા તાલુકો : સંખેડા
૫૮. શ્રી શાંતિનાથ જિનાલય સંખેડા તાલુકાથી ૧૩ કિ. મી.ના અંતરે આવેલ જેસીંગપુરા ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું છાપરાબંધી દેરાસર આવેલ છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પંચધાતુની પ્રતિમા સહિત ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસર બની રહ્યું છે. મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા હજુ થઈ નથી.
0
0
0
ગામ : ઉંચા કલમ તાલુકો : સંખેડા
૫૯. શ્રી વાસુપૂજયસ્વામી જિનાલય (સં. ૨૦૫૫) સંખેડાથી ૧૫ કિ. મી.ના અંતરે આવેલ ઉંચા કલમ ગામમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીનું શિખરબંધી દેરાસર આવેલ છે.
પાંચ ગર્ભદ્વારવાળા ગભારાનાં મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની ૧૫" ની પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
| વિ. સં. ૨૦૧૫માં દેરાસરની પ્રતિષ્ઠા પૂ. પં. શ્રી લલિતસેન વિજયજી મ. સા. ની નિશ્રામાં થયેલ જેનો લાભ શેઠ શ્રી છગનલાલ મગનલાલ શાહ પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગસર વદ ૧ છે જે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ શ્રી છગનલાલ મગનલાલ પરિવાર (નોંધણ વદરવાળા) તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે. '
ગામમાં શ્રાવિકાનો ઉપાશ્રય-આરાધના ભવન તેમજ શ્રી વાસુપૂજયસ્વામી જૈન પાઠશાળા છે જેમાં આશરે ૨૧ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૧૦ જૈન કુટુંબો વસે છે.
ગામ : ભદ્રાલી તાલુકો : સંખેડા
૬૦. શ્રી વિમળનાથ જિનાલય (સં. ૨૦૫૭) સંખેડાથી ૧૫ કિ. મી.ના અંતરે આવેલ ભદ્રાલી ગામમાં મૂળનાયક શ્રી વિમળનાથ ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે.