SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વડોદરાનાં જિનાલયો ગામઃ જૂની બોડેલી તાલુકો સંખેડા ૫૬. શ્રી પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૪) સંખેડા તાલુકાથી ૬ કિ. મી.ના અંતરે આવેલ જૂની બોડેલી ગામમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલ છે. ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. વિ. સં. ૨૦૧૪માં દેરાસરની પ્રતિષ્ઠાનો લાભ અમૃતલાલ બાફના પરિવારે લીધેલ. ગામમાં શ્રી વર્ધમાન જૈન પાઠશાળા છે જેમાં આશરે ૫૫ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૪નો છે. ગામઃ લવેડ તાલુકો : સંખેડા ૫૭. શ્રી શ્રેયાંસનાથ જિનાલય (સં. ૨૦૩૭) સંખેડાથી ૧૩ કિ. મી.ના અંતરે આવેલ લવેડ ગામમાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ધાબાબંધી દેરાસર આવેલ છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે. વિ. સં. ૨૦૩૭માં દેરાસરની ૫. પૂ. આચાર્ય શ્રી અમૃતવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ, જેનો લાભ શેઠ શ્રી કેસરીચંદ ભોગીલાલ પરિવારે લીધેલ. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૧ છે જે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ શ્રી કેસરીચંદ ભોગીલાલ પરિવાર (ખંભાત) તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે. ગામમાં શ્રી શ્રેયાંસનાથ જૈન પાઠશાળા છે જેમાં આશરે ૨૨ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં હાલ આશરે ૩૦ જૈન કુટુંબો રહે છે. જિનાલયનો સમય સં. ૨૦૩૭નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy