________________
૧૩૬
ગામ : ઝાંપા તાલુકો : જેતપુર-પાવી ૫૨. શ્રી કુંથુનાથ જિનાલય (સં. ૨૦૧૯)
જેતપુર-પાવી તાલુકાથી ૨૫ કિ. મી.ના અંતરે આવેલ ઝાંપા ગામમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું દેરાસર આવેલું છે.
વડોદરાનાં જિનાલયો
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૧" ની ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૯માં દેરાસરની પ. પૂ. ગણિવર્ય શ્રી ઇન્દ્રવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શેઠ શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (કપડવંજ) પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૫ છે. જે નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવકનો જૈન ઉપાશ્રય તેમજ શ્રી કુંથુજિન પાઠશાળા છે, જેમાં ૩૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૦ જૈન કુટુંબો વસે છે.
જિનાલયનો સમય સં. ૨૦૧૯નો છે.
ગામ : કાવરા તાલુકો : જેતપુર-પાવી
૫૩. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સં. ૨૦૫૯)
જેતપુર-પાવી તાલુકાથી ૨૫ કિ. મી.ના અંતરે આવેલ કાવરા ગામમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની પરિકરયુક્ત ૨૧" ની પ્રતિમા સહિત ૧૦ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. વળી દેરાસરમાં શ્રી ગૌતમસ્વામી તેમજ ગુરુ શ્રી વલ્લભસૂરીશ્વરજીની પ્રતિમા બિરાજમાન
છે.
વિ. સં. ૨૦૫૯માં દેરાસરની આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ અંધેરી, મુંબઈ નિવાસી કોકીલાબેન જેન્તીભાઈ શાહ પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૨ છે. જે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ શ્રી અશોક સરદારમલ શાહ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવક-શ્રાવિકાનો એક-એક ઉપાશ્રય, શ્રી આત્મવલ્લભ પાઠશાળા તેમજ