________________
૧૩૪
વડોદરાનાં જિનાલયો ઈ. સ. ૧૯૯૧માં દેરાસરની સ્થાપના કરવામાં આવેલ જેની પ્રતિષ્ઠા પ. પૂ. મુનિરાજ શ્રી લાવણ્યસાગર વિ. મ. સા. ની નિશ્રામાં થયેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે તેમજ રાંદેલવાળા પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રી વિશા શ્રીમાળી હોલ તેમજ શ્રી સંભવનાથ જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૨૮ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૩૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૨ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી છે.
જિનાલયનો સમય સં. ૨૦૪૭નો છે.
ગામઃ ગજેન્દ્રપુરા તાલુકો : જેતપુર-પાવી
૪૯. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૧૬) જેતપુર-પાવી તાલુકાથી ૧૫ કિ. મી.ના અંતરે આવેલ ગજેન્દ્રપુરા ગામ મધ્ય મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું એક શિખરવાળું જિનાલય આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ લીમડીઘોડા હતું.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ, ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે તેમજ શ્રી પદ્માવતી દેવી, શ્રી પ્રાસાદ દેવી, શ્રી યક્ષ દેવની મૂર્તિઓ પણ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૬માં પૂ. પં. શ્રી લલિતસેન વિ. મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવેલ, જેનો લાભ સુશ્રાવિકા શ્રીમતી વીરમતીબેન શાંતીલાલ હીરાલાલ કુસુમગર પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૬ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર થાય છે તેમજ શાંતીલાલ હીરાલાલ કુસુમગર પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવક-શ્રાવિકાનો એક ઉપાશ્રય “આરાધના ભુવન” તેમજ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન પાઠશાળા” છે. પાઠશાળામાં ૩૫ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૯નો છે.