SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ વડોદરાનાં જિનાલયો કુંભાસણ જૈન સંઘ તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે તેમજ ગામમાં જમણવાર થાય છે. ગામમાં શ્રી અનંતનાથ જૈન ધાર્મિક પાઠશાળા છે જેમાં આશરે ૩૫ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં હાલ આશરે ૨૦થી ૨૫ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૪૦ની આસપાસનો છે. ગામ : જીવણપુરા તાલુકો : જેતપુર-પાવી ૪૭. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૧૬) જેતપુર-પાવી તાલુકાથી ૧૨ કિ. મી.ના અંતરે આવેલ જીવણપુરા ગામમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સામરણયુક્ત શિખરબંધી દેરાસર આવેલ છે. ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા સહિત ૪. પાષાણ પ્રતિમાઓ તથા ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. વિ. સં. ૨૦૧૬માં દેરાસરની પ્રતિષ્ઠા પૂ. આચાર્ય શ્રી ઇન્દ્રન્નિસૂરિ મ. સા. ની નિશ્રામાં થયેલ જેનો લાભ શેઠ શ્રી લાલા અમરનાથ જનકરાજે (લુધિયાણા) લીધેલ. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે જે નિમિત્તે લાલા અમરનાથ જનકલાલ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે. ગામમાં શ્રી સુવિધિનાથ જૈન ધાર્મિક પાઠશાળા છે જેમાં હાલ ૧૮ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. ગામમાં હાલ આશરે ૨૦ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૯નો છે. ગામઃ વિસાડી તાલુકો : જેતપુર-પાવી ૪૮. શ્રી સંભવનાથ જિનાલય (સં. ૨૦૪૭) જેતપુર-પાવી તાલુકાથી ૧૨ કિ. મી.ના અંતરે આવેલ વિસાડી ગામમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું એક શિખરવાળું આરસનું દેરાસર આવેલ છે. ગભારા મધ્ય મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. વળી, શ્રી માણિભદ્રવીર અને શ્રી ચક્રેશ્વરી દેવીની પ્રતિમા પણ બિરાજમાન છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy