________________
૧૨૯
વડોદરાનાં જિનાલયો ૩૭ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૦ થી ૨૫ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૩ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૪નો છે.
ગામઃ મોટી અમરોલ તાલુકો : જેતપુર-પાવી
૩૯. શ્રી આદિનાથ જિનાલય જેતપુર-પાવી તાલુકાથી ૬ કિ. મી.ના અંતરે આવેલ મોટી અમરોલ ગામમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની આરસની પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ, ૩ ધાતુ પ્રતિમાઓ, ૧ જોડ પગલાં તથા શ્રી માણિભદ્રવીરની પ્રતિમા બિરાજમાન છે.
પૂ. આ. શ્રી કનકરત્નસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા થયેલ છે. હજુ દેરાસર તેમજ ઉપાશ્રયનું બાંધકામ ચાલુ છે.
ગામમાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ગામ : મોટી બુમડી તાલુકો : જેતપુર-પાવી
૪૦. શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલય (સં. ૨૦૫૪) જેતપુર-પાવી તાલુકાથી ૮ કિ. મી.ના અંતરે આવેલ મોટી બુમડી ગામમાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીનું શિખરબંધી દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની ૨૧" ની પ્રતિમા સહિત ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
વિ. સં. ૨૦૫૦ વૈશાખ સુદ ચતુર્થી વાસુપૂજયસ્વામીજી જિનબિંબ પ્રતિષ્ઠા તપાગચ્છ શ્રી ભુવનભાનુસૂરિ પટ્ટધરે શિષ્ય દિવાકર ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીજી હેમચંદ્રસૂરિજી ગચ્છાધિપતિ હરિવલ્લભસૂરિજી શેઠ શ્રી મુલચંદજી . . . .
વિ. સં. ૨૦૫૪માં દેરાસરની આચાર્ય શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શ્રી ખોડલા જૈન સંઘ, પાલનપુર તરફથી લેવામાં આવેલ છે.