________________
૧૨૮
વડોદરાનાં જિનાલયો
ગામ : સિહોદ તાલુકો : જેતપુર - પાવી ૩૭. શ્રી કુંથુનાથ જિનાલય
જેતપુર-પાવી તાલુકાથી ૪ કિ. મી.ના અંતરે આવેલ સિહોદ ગામમાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું એક શિખરવાળું, આરસનું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા પ. પૂ. વિરેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં થયેલ જેનો લાભ શાહ કાંતિલાલ ઉજમલાલ પરિવારે લીધેલ. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૩ છે. તે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે.
ગામમાં શ્રી કુંથુનાથ જૈન ઉપાશ્રય અને શ્રી કુંથુનાથ જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૨૫ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ ૧૦ થી ૧૫ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ગામ : ભેંસાવહી તાલુકો : જેતપુર - પાવી
૩૮. શ્રી મહાવીરસ્વામી જિનાલય (સં. ૨૦૫૪)
જેતપુર-પાવી તાલુકાથી ૫ કિ. મી.ના અંતરે આવેલ ભેંસાવહી ગામમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીનું સામરણયુક્ત, એક શિખરવાળું, ભોંયરાસહિત દેરાસર આવેલ છે.
૩ ગર્ભદ્વા૨વાળા ગભારા પૈકી મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ૪૧" ની તેમજ ભોંયરામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૪૧" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં ૮ પાષાણ પ્રતિમાઓ, ૮ ધાતુ પ્રતિમાઓ તેમજ શ્રી માણિભદ્ર દેવ અને શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાઓ બિરાજમાન છે.
અહીં ગુરુમંદિર આવેલ છે, જ્યાં શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. તેમજ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિમાઓ છે.
વિ. સં. ૨૦૫૪માં દેરાસરની પ્રતિષ્ઠા ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં થયેલ જેનો લાભ મૂળ થરાદના હાલ મુંબઈ નિવાસી શ્રી શાંતિલાલ ચીમનલાલ મૂળચંદભાઈ પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૨ છે જે નિમિત્તે શ્રી કલ્યાણભાઈ વજાભાઈ જૈન તથા શ્રી જેમતભાઈ કુતરભાઈ જૈન પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં ૧ ઉપાશ્રય તેમજ શ્રી મહાવીરસ્વામી જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે