________________
વડોદરાનાં જિનાલયો
૧૧૯
કરાવી પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી કાંતિલાલ મોહનલાલ શાહ પરિવારના હસ્તે અષાઢ સુદ ૧૦ના રોજ પુન:પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.” અહીંથી ત્રણ પ્રવેશદ્વારવાળા રંગમંડપમાં પ્રવેશ થાય છે. મધ્યના પ્રવેશદ્વારની બારસાખમાં ટોડલા છે તથા કાઇમાં રૂપેરી રંગથી રંગવામાં આવેલી સુંદર કોતરણી છે.
એક ગર્ભદ્વારવાળા ગભારાની ફરતે પ્રદક્ષિણા માટેની જગ્યા રાખવામાં આવેલ છે.
ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૫" ની આરસની પ્રતિમા તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રભુની પાછળની દિવાલ પર અરીસામાં ચામર ઢાળતા દેવોની આકૃતિ છે તેમજ સિંહાસનની નીચે અષ્ટમંગલ ઉપસાવેલ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“સં. ૧૯૪૯ માઘ સુદી ૧૦મી સુક્ર સ્થાપિતા શ્રી ઋષભાનન જિન બિંબ કારપિતા - પથ્થસિંહ બીહાર્વરેણ . . . . . . . . . પ્રભા . . . . . . . . . શ્રી વિજરાજસૂરિભિઃ તપાગચ્છે . . . . . . ”
દેરાસરની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં ફૂલો ઉગાડેલ છે.
વિ. સં. ૧૯૫૩માં જિનાલયની સ્થાપના કરવામાં આવેલ જેનો વિ. સં. ૨૦૩૬માં જીર્ણોદ્ધાર કરેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ અષાઢ સુદ ૧૦ છે તે નિમિત્તે ગામમાં જે વ્યક્તિ હાજર હોય તેમાંથી જ કોઈ એક ધ્વજા ચઢાવે છે.
આ જિનાલયની સામે શ્રાવકનો શ્રી જૈન છે. મૂ. પૂ. જૈન ઉપાશ્રય આવેલ છે. ગામમાં હાલ ૨ જ જૈન વ્યક્તિઓ રહે છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૧ પાષાણ પ્રતિમા તથા ૪ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૧ પાષાણ પ્રતિમા તથા ૫ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૯૨૫માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ મોતીલાલ મગનલાલ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૨૫નો છે.