________________
વડોદરાનાં જિનાલયો
૧૧૭
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ વંચાય છે.
શ્રીમાલી જ્ઞાતીય. . . . . . . . . . . તિલકચંદ ભાર્યા મુખરબાઈ . . . . . . . . . શ્રી સુમતિનાથ બિંબ પ્રતિ શ્રી તપા. વલ્લભવિજયગણીભિઃ . . . . . . . . .
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. તે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે અને સ્વ. કંચનબેન મોતીલાલ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
દેરાસરની સામે એક જૂનું મકાન છે, જેનો ઉપયોગ હાલ વિહારકાળમાં આવતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતના ઉતારા માટે કરવામાં આવે છે. આ મકાનમાં એક ખૂણામાં નાના ગોખલામાં શ્રી માણિભદ્રવીરની નાની આરસની પ્રતિમા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નાના ગોખલામાં નાકોડા ભૈરવની નાની પ્રતિમા છે. અહીં ઘણો મોટો જ્ઞાનભંડાર પણ હતો જે હાલ કોબા ભંડારમાં ભેટ આપવામાં આપેલ છે.
આ ગામમાં દેરાસરથી દૂર ખેતરોની વચ્ચે આવેલ એક તળાવને કિનારે મોટા ઓટલા પર ત્રણ નાની દેરીઓમાં ચરણપાદુકાઓ છે. જેમાં વચ્ચે શ્રી ઋષભ જિનેન્દ્રના તથા આજુબાજુ શ્રી પુંડરીકસ્વામી અને શ્રી સુધર્માસ્વામીનાં પગલાં છે. વચ્ચેની દેરીમાં ઉપર શિખર અને આજુબાજુ ઘુમ્મટ પર કારતક સુદ ૧૫ ને દિવસે ધ્વજા બદલવામાં આવે છે. આ દિવસે દેરાસરમાંથી શ્રી આદિનાથં ભગવાનને પાલખીમાં ગ્રામજનો ભેગા થઈ લઈ જાય છે અને પગલાં પર ધ્વજા બદલી અન્ય વિધિ કરે છે. ત્રણેય પગલાં પર વિ. સં. ૧૮૧૨ વાંચી શકાય છે અને શ્રી સુધર્માસ્વામીની ચરણપાદુકા પરના લેખમાં “શ્રી જિનચંદ્રસૂરી . . . . . પરે . . . . . . . ભટ્ટા શ્રી જિનોદયસૂરીભિઃ કારિત શ્રી દરાપરા સંઘેન” એ મુજબનું લખાણ વાંચી શકાય છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. અહીં ૧૪ પાષાણ પ્રતિમાઓ તથા ૩૩ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૮૨પમાં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ અંબાલાલ કિલાભાઈ તેનો વહીવટ કરતા હતા. એક પુસ્તકાલયનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૮૨૫ આસપાસનો છે.
ગામ : દરાપરા તાલુકો : પાદરા ૨૭. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૨૦૦૦ આસપાસ) પાદરાથી ૨ કિ.મી.ના અંતરે આવેલ દરાપરા ગામમાં પ્રવેશતાં ડાબી બાજુ વિશાળ પ્રાંગણમાં બે દેરાસર આવેલ છે. મોટા પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં સામે એક નાનું ઘુમ્મટબંધી મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર આવેલ છે. આ દેરાસર ૨ માળનું, આરસ તથા સાદા પત્થરની બાંધણીવાળું, સારી સ્થિતિનું જોવા મળે છે.