SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો દેરાસરની બાજુમાં જ શ્રાવકનો બે માળનો ઉપાશ્રય છે. ગામમાં હાલ ૮ જૈન કુટુંબો રહે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામના ૧ દીક્ષાર્થીએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ૧૧૬ - વિશેષ :- જીર્ણોદ્ધાર કરાવ્યા બાદ પુનઃપ્રતિષ્ઠા કરાવતી વખતે મૂળનાયક ભગવાનના મુખની દિશા બદલવામાં આવેલ છે. અહીંના રહીશોના જણાવ્યા મુજબ જૈનોની વસ્તી ઓછી થવાથી ભગવાનને અહીંથી ખસેડી અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવાનું વિચારેલ પરંતુ ઘણા પ્રયત્ન કરવા છતાં પણ ભગવાનની પ્રતિમા ઉત્થાપિત થઈ ન શકી. નીચે શ્રી પારસનાથ ભગવાન છે. શ્રદ્ધાળુ ભક્તો અને ગામના વડીલો જણાવે છે કે આ દેરાસરની ૧૧ પૂનમ ભરવાથી કામ સિદ્ધ થઈ જાય છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૧ પાષાણ પ્રતિમા તથા ૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૯૦૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ માધવલાલ વ્રજલાલ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૯૦૦નો છે. ગામ : દરાપરા તાલુકો : પાદરા ૨૬. શ્રી સુમતિનાથ જિનાલય (સં. ૧૮૨૫) પાદરાથી ૨ કિ. મી.ના અંતરે આવેલા દરાપરા ગામમાં પ્રવેશતાં ડાબી બાજુ વિશાળ પ્રાંગણમાં બે દેરાસર આવેલાં છે જેના મોટા કાઇના બનેલા જાળીવાળા દ્વારની બહારની દિવાલ પર હાથી તથા ઉપરની દિવાલ પર શ્રી લક્ષ્મી દેવી અને હાથીની કૃતિ દોરેલ છે. મોટા પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં સામે એક નાનું ઘુમ્મટબંધી દેરાસર તથા બાજુમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબંધી, સાદા પત્થરયુક્ત, સારી સ્થિતિનું દેરાસર આવેલ છે. પ્રવેશદ્વારની ચોકીમાં પગથિયાં ચઢીને કમાનો તથા પૂતળીઓ જોવા મળે છે. કાષ્ઠના દ્વારમાંથી વિશાળ રંગમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં થાંભલા, રંગીન કમાનો, ટોડલા, વાજિંત્રો સહિતની પૂતળીઓ, સુંદર રંગીન હાંડીઓની રચના જોવા મળે છે. રંગમંડપની જમણી બાજુના દ્વારની બહાર ગોખમાં શ્રી મહાલક્ષ્મી દેવી છે. એક ગર્ભદ્વારવાળો ગભારો છે જેના ગર્ભદ્વારમાં કોતરણીવાળી સુંદર રંગીન બારસાખ જોવા મળે છે તેમજ બે બાજુ દિવાલ પર દરવાનના ચિત્રો છે. ગભારામાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૨૭" ની પ્રતિમા સહિત ૭ પાષાણ પ્રતિમાઓ, ૧૦ ધાતુ પ્રતિમાઓ તથા ૨ જોડ પગલાં જેમાં એક શ્રી સુધર્માસ્વામીના અને બીજા શ્રી દીપવિજયનાં છે. ગભારામાં બે બાજુ બે ગોખલામાં પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા આરસની કમાનો અને પૂતળીઓ ધરાવતી સુંદ૨ છત્રીમાં બિરાજમાન છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy