________________
વડોદરાનાં જિનાલયો
દેરાસરની સામેના ભાગમાં શ્રાવકનો ‘શ્રી રામચંદ્રસૂરીશ્વરજી જૈન આરાધના ભવન” નામે ઉપાશ્રય છે. અહીં જ્ઞાનભંડાર પણ છે જેમાં ૧૫૦૦ પુસ્તકો અને ૨૦૦ થી ૨૫૦ હસ્તપ્રતો છે. વળી અહીં આયંબિલ શાળા પણ આવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ
સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૨૨ પાષાણ પ્રતિમાઓ તથા ૪૦ ધાતુ પ્રતિમાઓ હતી.
૧૧૫
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. અહીં ૨૦ પાષાણ પ્રતિમાઓ તથા ૩૯ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ભાઈલાલ લલ્લુભાઈ તેનો વહીવટ કરતા હતા. ૧ ગુરુમૂર્તિનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૩૧ પૂર્વેનો છે.
ગામ : મુંજપુર તાલુકો : પાદરા ૨૫. શ્રી સુમતિનાથ જિનાલય ( સં. ૧૯૦૦)
પાદરાથી ૭ કિ. મી.ના અંતરે આવેલા મુંજપુર ગામની મધ્યમાં ધુમ્મટબંધી, આરસયુક્ત મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનું દેરાસર આવેલ છે.
-
દેરાસરના એક પ્રવેશદ્વારમાંથી નાના લંબચોરસ રંગમંડપમાં પ્રવેશ થાય છે. અહીં ગોખલામાં યક્ષ યક્ષિણીની મૂર્તિઓ બિરાજમાન છે. વળી દિવાલ પર ઉપસાવીને બનાવેલ શ્રી શત્રુંજય તીર્થનો પટ છે.
એક ગર્ભદ્વારમાંથી ચોરસ ગર્ભગૃહમાં પ્રવેશ થાય છે. મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા સહિત ૨ ધાતુ પ્રતિમાઓ દેરાસરમાં બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
વિક્રમ માર્કસ્ય ... ૧૯૯૯ માઘ માસે કૃષ્ણ પક્ષે શ્રી
સિદ્ધક્ષેત્રે .
મંદિર દેવકુલિકાયાં શ્રી ૨ાજનગર વાસ્તવ્ય શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠિમગનલાલ સુતં આશારામ કારિત .. પ્રતિષ્ઠિત - સ્મરણાર્થે તંત્ સુપુત્ર શ્રી સુમતિનાથ પ્રભુમૂર્તિ .
આથમણાપુરાના પ્રાચીન નામથી જાણીતા હાલના આ મુજપુર ગામમાં આશરે ૯૦ વર્ષ પહેલાં દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા પાંચેક વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરવામાં આવેલ. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૨ છે જે નિમિત્તે સંઘ તરફથી પ્રભાવના કરવામાં આવે છે તેમજ લાલભાઈ જયંતિભાઈ શાહ (પાદરા નિવાસી) પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.