________________
૧૧૩
વડોદરાનાં જિનાલયો
“દુહા : આવ્યા પાદરે જેટલે, વર્ષા અતિશય થાય, મૂલચંદ હરખા હવે, વડોદરાથી આય, પાદરા સંઘ મૂલચંદ તથા નવિ જાવાઈ તત્ય અનુક્રમે ચોમાસું રહ્યા, વાસુપૂજય જિન રજત્થ. ઢાળ ૧૦ : સુંદર ગુરુ પણ માની વિનતિ, આવ્યા ડભોઈ ગામ હો લોઢણ પાસ જુહારીયા, સાર્યા આતમ કાજ હોઃ સું. ”
વળી, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રકાશિત જૈન ઐતિહાસિક રાસમાળા ભાગઃ૧લા ના પાના નં. : પર ઉપર આ મુજબ ઉલ્લેખ છે.
“પૂ. ક્ષમાવિજયગણિના શિષ્ય પૂ. જિનવિજયગણિ સુરતમાં સઈદપુરામાં રહ્યાં. ત્યાં નંદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ થયો. ત્યાર પછી ગંધાર, આમોદ, જંબુસર, ત્યાંથી પાદરા (કે જયાં શ્રી વાસુપૂજ્યનું કહેવું છે.) આવ્યા. અહીં ચોમાસું કર્યું.
પાદરામાં ચોમાસું રહ્યા. અહીં આઠ દિવસની માંદગી ભોગવી પણ ધ્યાનમાં જ મન લીન રાખી સંવત ૧૭૯૯ના શ્રાવણ સુદ ૧૦ ને કુંજવારને દિને સ્વર્ગગમન કર્યું. આ વખતે તેમની ઉંમર ૪૭ : સુડતાલીસ વર્ષની હતી. કાયાનો અગ્નિસંસ્કાર નગરની બહાર સરોવર પાસે સુખડ અગર ર્યો અને કિસન પ્રમુખ શ્રાવકે તેનો સ્તૂપ રચાવ્યો. ”
અત્રે જે સ્તૂપનો ઉલ્લેખ કરેલ છે તે ગામમાં આવેલ દાદાવાડીમાં થોભ તરીકે આજે પણ ઉપસ્થિત છે. દાદાવાડીમાં અન્ય છ દેરીઓ છે. દાદાવાડીની સ્થાપના સંવત ૧૮૪૦, વૈશાખ સુદ ૭ ને સોમવારના રોજ શ્રીમદ્ દેવચંદજી મહારાજ દ્વારા કરવામાં આવેલ છે. બહારના ભાગમાં આવેલ છ દેરીમાં ગુરુમહારાજનાં પગલાં છે. રંગમંડપમાં દાદા શ્રી જિનદત્તસૂરિજીના જીવનના પ્રસંગો ચિત્રિત કરેલાં છે. નીચે વચમાં ઓટલી પર શ્રી જિનકુશલસૂરિજી, શ્રી જિનદત્તસૂરિજી અને શ્રી જિનચંદ્રસૂરિજીનાં પગલાં છે.
અન્ય ત્રણ ગોખલામાં શ્રી જિનકુશલસૂરીજી, શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુખસાગરજી મ. સા. ની ગુરુમૂર્તિ બિરાજમાન છે.
વળી, એક ગોખલામાં શ્રી માણિભદ્રવીર અને અન્ય ગોખલામાં શ્રી સરસ્વતી દેવીની પ્રતિમા બિરાજમાન છે.
સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૩૫ પાષાણ પ્રતિમાઓ તથા ૩૫ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. અહીં ૩૫ પાષાણ પ્રતિમાઓ તથા ૩૧ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ચીમનલાલ દલસુખભાઈ તેનો વહીવટ કરતા હતા. એક ગુરુમૂર્તિ, ભોંયરામાં