SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૧૦૯ આરસની બારસાખમાં જર્મન-સિલ્વર મઢિત ૩ ગર્ભદ્વારના મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ (ફણા સહિત)ની ૪૩" ની આશરે ૧૫૦૦ વર્ષ પ્રાચીન પાષાણ પ્રતિમા બિરાજમાન છે. આ ઉપરાંત ૧૯ પાષાણ પ્રતિમાઓ (૨ કાઉસગ્ગીયા, ૨ શ્યામ કસોટી) તથા ૧૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. જિનાલયની જમણી બાજુના પ્રવેશદ્વારમાંથી બહાર નીકળતાં ડાબી બાજુ જિનાલયની પાછળની દિવાલ પર તેમજ બાજુમાં આવેલ કેસર-સુખડ રૂમની દિવાલ પર શ્રી મહાવીરસ્વામી અને શ્રી આદીશ્વર પ્રભુના જીવનચરિત્ર દર્શાવતાં અંશો રજૂ કરવામાં આવ્યા છે. તેની આગળની બાજુ ગુરુમંદિર આવેલ છે જેના રંગમંડપના ગોખમાં શ્રી માણિભદ્રવીરની આરસ પ્રતિમા બિરાજમાન છે તેમજ ગભારામાં ગુરુમૂર્તિ તથા બે બાજુ શ્રી જંબુસૂરિ મ. સા. તથા શ્રી પ્રેમસૂરિ મ. સા. ની ચરણપાદુકાઓ બિરાજમાન છે. ગુરુમંદિરની સામે ઘુમ્મટબંધી શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનાલય આવેલ છે. અહીં રંગમંડપના ગોખમાં શ્રી અંબિકા દેવીની આરસ પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં આરસની છત્રીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની ૧૯" ની ગ્રે રંગની તેમજ બે બાજુ શ્રી સુધર્માસ્વામી અને શ્રી જંબુસ્વામીની પ્રતિમા કમળ ઉપર બિરાજમાન છે. વિ. સં. ૨૦૦૪માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલ છે તેમજ મહા સુદ ૧૦ના રોજ વર્ષગાંઠ તિથિ છે. જે નિમિત્તે શ્રી જયંતિલાલ બાપુલાલ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે. શ્રીમાળી વાઘા વિસ્તારમાં શ્રાવકનો ૩ માળનો અને શ્રાવિકાનો ૧ ઉપાશ્રય આવેલ છે. અહીં જ્ઞાનભંડાર છે જેમાં ૧૨,૦૦૦ પુસ્તકો તેમજ આશરે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ મતો છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી બે અલગ જિનાલય (૧) પંડ્યા શેરીમાં શ્રી આદિનાથજી, (૨) ચંદ્રપ્રભુજીના ખાંચામાં શ્રી ચંદ્રપ્રભુજી તરીકે થયો છે, જેમાં શ્રી આદિનાથજી જિનાલયમાં ૧૦ પાષાણ પ્રતિમાઓ તથા ૨૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ સંવત ૧૯૧૫માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ છોટાલાલ છગનલાલ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાન પર લેખની સંવત ૧૪૭૯ છે. દેરાસરની સ્થિતિ સારી હતી અને શ્રી ચંદ્રપ્રભજી જિનાલયમાં ૮ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંધે લગભગ સંવત ૧૯૩૮માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ત્રિભોવનદાસ હરગોવિંદદાસ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૬૩૯ છે. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો નિર્માણ સમય સં. ૧૯૧૫નો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy