________________
વડોદરાનાં જિનાલયો
૧૦૧
ડિઝાઇનવાળી ચાઈનીઝ ટાઈલ્સ ચોટાડેલી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ શ્રાવણ સુદ ૮ છે જે નિમિત્તે ગામના જૈન ભાઈઓ તરફથી ધ્વજા ચડાવવામાં આવે છે.
ગામમાં હાલ ૩ જૈન કુટુંબોની વસ્તી રહે છે.
વિશેષ નોંધ :-આ જિનાલય આશરે વિ. સં. ૧૯૫૦માં બંધાયેલ છે જે ૧૦૮ વર્ષ પ્રાચીન છે. આ દેરાસર પહેલાં કાઇનું હતું જે ઈ. સ. ૧૯૭૦માં નર્મદાનું પુર આવવાથી બેસી ગયું હતું. ત્યારબાદ જીર્ણોદ્ધાર કરાવી નવું દેરાસર બંધાયેલ છે. છપ્પનિયા કાળમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી તેમ છતાં ભાવિક ભક્તો દર પૂનમે સાધલી અને દિવેર ગામથી પૂનમ ભરવા આવતા હતા.
૫૦૦ વર્ષ અગાઉ આ ગામ કુંતનપુરી નામથી પ્રચલિત હતું. હજુ આજે પણ ટેકરી પર મહેલના અવશેષો જોવા મળે છે. અન્ય ધર્મનાં પ00 વર્ષ પ્રાચીન મંદિરો અહીં ઊભા છે જેમાં કુબેર ભંડારી, પંચ કુબેરેશ્વર, આદિત્યેશ્વર મહાદેવ તથા આશાપુરી માતાના મંદિર મુખ્ય છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૨ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે સંવત ૧૯૪૩માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ચુનીલાલ નરસિંહદાસ તેનો વહીવટ કરતા હતા. એક પુસ્તક ભંડારનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
આ જિનાલયનો સમય સં. ૧૯૪૩નો છે.
ગામ : સિનોર તાલુકો : સિનોર ૧૫. શ્રી સુમતિનાથ જિનાલય (સં. ૧૮૦૦ આસપાસ) વડોદરા ગામથી ૬૦ કિ. મી.ના અંતરે સિનોર ગામ આવેલ છે. ગામમાં પ્રવેશતાં બજારમાં થઈને શ્રાવક વાડામાં શ્રી સુમતિનાથ ભગવાનનું બે માળનું, શિખરબંધી જિનાલય આવેલ છે.
'દેરાસરના પરિસરમાં પ્રવેશતાં દેરાસરની બહાર ઓટલા પર બે બાજુ બે દેરીમાં શ્રી ઘંટાકર્ણવીર તથા શ્રી માણિભદ્રવીરની પ્રતિમા બિરાજમાન કરેલ છે.
દેરાસરમાં ૩ પગથિયાં ચઢીને પ્રવેશ થાય છે. બહારની થાંભલીઓ પર વાજિંત્ર સાથે દેવીઓની આકૃતિ છે તથા ઉપરની બાજુ બાળકોની આકૃતિ દષ્ટિમાન થાય છે. ઉપરના ભાગમાં સુંદર ઝરૂખો તથા છત્રીની રચના છે. સુંદર કલાત્મક કોતરણીવાળા જર્મનના દરવાજાની બે બાજુ બહારના ભાગમાં દ્વારપાળની ઊભી સુંદર આકૃતિ છે. ઉપર ઝરૂખાના ભાગ પર કેટલાંક હાથી,