________________
વડોદરાનાં જિનાલયો
સૌ પ્રથમ સં. ૧૯૬૩માં પૂ. દાદા શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી કરજણમાં શ્રી કુંથુનાથ ભગવાનની ધાતુપ્રતિમા શેઠ શ્રી રણછોડભાઈ વીરચંદભાઈના મકાનની ઓરડીમાં દેરાસર બનાવી પધરાવવામાં આવેલ, ત્યાર બાદ સં. ૧૯૯૧માં પૂજ્ય આચાર્ય શ્રી મોહનસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી પાર્વતીબેને નવેસરથી ઘુમ્મટબંધી જિનાલય બંધાવી અત્રે શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી જે આજે હયાત છે.
આ જિનાલયનો સમય સં. ૧૯૯૧નો છે.
૯૫
ગામ : કરજણ તાલુકો : કરજણ
૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય ( સં. ૨૦૧૧ )
કરજણ ગામના બજાર વચ્ચે ડાબી બાજુ પર મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘુમ્મટબંધી, આરસયુક્ત, બે માળનું પૂર્વાભિમુખ જિનાલય આવેલ છે.
પત્થરની જાળીવાળી બાહ્ય દિવાલથી આરક્ષિત જિનાલયમાં લોખંડના ઝાંપામાંથી પ્રવેશ કરી દસેક પગથિયાં ચઢીને મુખ્ય પ્રવેશદ્વાર આવે છે જ્યાં બે બાજુ બે નાના દ્વારપાળની આકૃતિ છે તથા સ્તંભ પર નારીની આકૃતિ છે. વળી દિવાલ પર અંબાડીયુક્ત હાથીની આકૃતિ છે.
બહાર ચોકમાં ડાબી બાજુ બે નાની દેવકુલિકાનું કામ ચાલુ છે જ્યાં શ્રી લક્ષ્મીજી, શ્રી ઘંટાકર્ણ વીર તથા શ્રી માણિભદ્રવીરની પ્રતિમાજી છે. દેરાસરની ધાબાની દિવાલ પર પ્રવેશદ્વારની ઉપરના ભાગમાં શ્રી લક્ષ્મીજી અને બે હાથીની સુંદર કૃતિ ઉપસાવેલ છે.
ત્રણ પ્રવેશદ્વાર ધરાવતા જિનાલયનો રંગમંડપ મોટો અને ભવ્ય છે. ગાલીચા જેવી સુંદર ફર્શ છે તથા દિવાલ પ૨ ફ૨તે શ્રી આબુજી, શ્રી અષ્ટાપદજી, શ્રી સિદ્ધચક્રજી, શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર, શ્રી સમેતશિખર, શ્રી પાવાપુરી તથા કાચથી ઉપસાવેલ શ્રી શંખેશ્વર તીર્થના સુંદર પટ છે. વળી ઘુમ્મટમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકો, અશ્વને પ્રતિબોધ, સુદર્શનાને શ્રી મુનિસુવ્રતસ્વામી દ્વારા ઉપદેશ તથા સમડી વિહારના ઐતિહાસિક પ્રસંગોને દર્શાવતાં ચિત્રો દોરેલ છે. રંગમંડપમાં આઠ થાંભલાઓ પર આઠ પૂતળીઓની સુંદર રચના છે. ગોખમાં શ્રી વરુણ યક્ષ અને શ્રી નરદત્તા યક્ષિણીની પ્રતિમા છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની ૨૭" ની, શ્યામ વર્ણની પંચતીર્થી સહિત કુલ ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ઉપર શિખરમાં નાની ઓરડીમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૭" ની પાષાણ પ્રતિમા તથા ૪ ધાતુ પ્રતિમાઓ અત્રે બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“વિ. સં. ૨૪૮૦ વિક્રમ સં. ૨૦૧૦ વૈશાખ સુદી ૭ બુધવા૨સે શ્રી શ્રીમાળી જ્ઞાતીય