________________
વડોદરાનાં જિનાલયો
૯૧
મહાવીરસ્વામીની ધાતુ પ્રતિમા ૯" ની તેમજ એક સિદ્ધચક્રજી બિરાજમાન છે જેના પબાસન નીચે ચૌદ સ્વપ્ન અંકિત કરેલ છે. તેમજ ઉપર નારીશિલ્પો અને પરીઓની કૃતિ છે તથા ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામના ઘરદેરાસરમાંથી છત્રી લાવવામાં આવેલ છે.
પરિવારની એક દીકરીના દીક્ષા પ્રસંગે સં. ૨૦૩૯ના વૈશાખ સુદ ૧૧ ને રવિવારે તા. ૨૨-૫-૧૯૮૩ના રોજ ભગવાનને પાદરાથી લાવીને અત્રે ગૃહમંદિરમાં પ્રવેશ કરાવેલ છે.
ગામમાં હાલ બે જ જૈન કુટુંબો રહે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગામમાંથી એક વ્યક્તિએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૩૯નો છે.
ગામઃ વરણામાં તાલુકોઃ વડોદરા ૫. શ્રી વિનહર પાર્શ્વનાથનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૩૯ ) વડોદરાથી ૧૮ કિ. મી.ના અંતરે આવેલ વરણામા ગામમાં પાણીની ટાંકીથી જમણી બાજુ થોડું અંતર કાપતાં મૂળનાયક શ્રી વિઘ્નહર પાર્શ્વનાથનું બે માળનું, ધાબાબંધી, ઘરદેરાસર આવેલ છે.
૩ પગથિયાં ચઢતાં જાળી તથા બારણામાંથી પ્રવેશ થાય છે ત્યાંથી જમણી બાજુ ૧૪ પગથિયાં ચઢતાં નાના રૂમમાં આ દેરાસર છે જ્યાં ફર્શ ગાલીચા ટાઈલ્સની છે.
નાના પબાસન, સુંદર ડિઝાઈનની નાનકડી પાટ પર મૂળનાયક શ્રી વિનહર પાર્શ્વનાથની ૫" ની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. તેની પાછળ છોડ, મસ્તકની ઉપર ચાંદીના ત્રણ છત્ર છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“સ્વસ્તિ શ્રી અમદાવાદ નગરે સં. ૨૦૩૮ વૈ. સુ. ૩ સાબરમતી નિવાસી પ્યારીબેન જુહારમલ (બેડાવાળા) એ શ્રી પાર્શ્વનાથ જિનબિંબ ભરાવેલ છે.”
દેરાસરની સ્થાપના વિ. સં. ૨૦૩૯માં થયેલ જેની પ્રતિષ્ઠા શ્રી અશોકસાગરજી મ. સાહેબે કરાવેલ. પ્રતિષ્ઠાનો લાભ જયંતિલાલ, રમેશચંદ્ર, નટવરલાલે લીધેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૧૩ છે. દેરાસરનો વહીવટ શ્રી વરણામા જૈન છે. મૂ. પૂ. સંઘ વતી શ્રી ગૌતમભાઈ તથા શ્રી નટુભાઈ હસ્તક છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૩૯નો છે.