________________
૮૮
વડોદરાનાં જિનાલયો
છે. શ્રાવક-શ્રાવિકાના ૨-૨ ઉપાશ્રય છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચમા સ્થાન ધરાવતો મોટો જ્ઞાનભંડાર છે, શ્રી મુક્તિવિજય ગણિ જૈન પાઠશાળા છે, જેમાં ૮૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે. યાત્રિકો માટે અતિથિ ભવન છે.
છેલ્લા ૫૦ વર્ષમાં ગામના દરેક કુટુંબની એક વ્યકિતએ દીક્ષા ગ્રહણ કરેલ છે, અર્થાત હાલમાં આ ગામની ૧૬૦ વ્યક્તિ સંયમપાલન કરી રહેલ છે જે છાણી ગામની વિશિષ્ટતા છે. એટલા માટે જ ભૂતકાળમાં મગરુર સયાજીરાવ ગાયકવાડે છાણી ગામને “છાણી દીક્ષાની ખાણી”ના બિરુદથી નવાજેલ
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૮ પાષાણ પ્રતિમાઓ, ૭૮ ધાતુ પ્રતિમાઓ તથા ૩ રત્નની પ્રતિમાઓ હતી. - સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૮ પાષાણ પ્રતિમાઓ, ૬૩ ધાતુ પ્રતિમાઓ તથા ૨ સ્ફટિક પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ લલ્લુભાઈ જમનાદાસ તેનો વહીવટ કરતા હતા. એક જ્ઞાનમંદિરનો ઉલ્લેખ થયેલ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
ઉપર્યુક્ત સંદર્ભોને આધારે જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો અંદાજી શકાય છે.
0
C
ગામ : છાણી તાલુકો : વડોદરા
૨. શ્રી કુંથુનાથ પ્રભુનું ગૃહ ચૈત્ય (સં. ૧૯૪૪) વડોદરાથી ૭ કિ. મી.ના અંતરે છાણી ગામમાં કોઠારી ફળિયામાં પ્રવેશતાં આપણી જમણી બાજુ આવેલા પહેલા મકાનમાં ઉપરના માળે મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનનું ધાબાબંધી, આરસપહાણયુક્ત, બે માળનું ઘરદેરાસર આવેલ છે.
૧૭ પગથિયાં ચઢતાં નાનો દરવાજો આવે છે, જ્યાંથી દેરાસરમાં પ્રવેશ થાય છે. સીડી ચઢતાં બે બાજુ સુંદર ડિઝાઈન કરી અરીસા જડેલા છે.
કાચ પર ચિત્રકામ કરી રંગમંડપમાં દિવાલ પર ફ્રેમથી જડેલાં છે તેમજ તીર્થંકર પરમાત્માના જીવનચરિત્રના અંશો, ઐતિહાસિક પ્રસંગો તેમજ વિવિધ તીર્થપટ જોવા મળે છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૯" ની પાષાણ પ્રતિમા બિરાજે છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૭ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ભગવાનની પાછળ દિવાલ પર ભામંડલ, ફૂલ વરસાવતી પરી તેમજ ફૂલની ડિઝાઇનનું ચિત્રકામ કરેલ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખ મુજબ વિ. સં. ૧૬૭૦ના વૈશાખ સુદ ૩ના રોજ શ્રી વિજયસેનસૂરીશ્વરજી મ. સા. દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનું લખાણ વાંચી શકાય છે. શ્રી