________________
સંઘપતિ શ્રી શાંતિદાસ
પિતા સહસકિરણ ખાલી હાથે, નજીવી મૂડી લઈને કપરા કાળમાં મેવાડ છોડીને, અમદાવાદમાં આવ્યા ને પોતાની આવડત અને નસીબની યારીના જોરે ટૂંક સમયમાં જ ઝવેરી તરીકે ખૂબ કામિયાબ નીવડયા. તેમની પહેલી પત્ની કુમારીથી થયેલ વર્ધમાન અને બીજી પત્ની સૌભાગ્યદેવીથી થયેલ શાંતિદાસ- આ બંને સંતાનોએ પિતાના પિતાના ધંધા-રોજગારને વિકસાવવાનું કાર્ય નાની ઉંમરમાં જ ઉપાડી લીધું હતું. શેઠશ્રી શાંતિદાસની ધંધાકીય કારકિર્દી
શેઠશ્રી શાંતિદાસે પિતાની આવડત અને આકર્ષક વ્યક્તિત્વના આધારે રાજદરબારમાં જે માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, અમદાવાદના નગરશેઠ તરીકેનું જે પદ પ્રાપ્ત કર્યું હતું તે તે આપણે જોયું જ, પરંતુ રાજદરબારમાં ઝવેરી તરીકે સારી નામના મેળવત્રા માત્રમાં જ તેમના ઝવેરાતના ધંધાની સિદ્ધિ સમાઈ જતી નથી. તેમણે તે પિતાને ઝવેરાતને ધંધે ભારતનાં મેટાં મેટાં શહેરે ઉપરાંત પરદેશમાં પણ વિકસાવવા માંડ્યો હતો. અને આ કાર્યમાં વર્ધમાન અને શાંતિદાસ બંને ભાઈ એ સંપીને કાર્ય કરતા હોવાથી આ ધંધે થોડા સમયમાં ખૂબ ફૂલ્યાફાલ્ય હતે.
" અનેક સ્થળોએ વિકાસ પામેલા આ ધંધા અંગે માહિતી આપતાં “શ્રી રાજસાગરસૂરિ-નિવણિરાસ'માં જણાવાયું છે કે –
રાજનગર અનિ બહનપુર, વિજાપુર લગઈ ભાઈ રે, દિલ્લી આગરા સીંધલ સિમાણ, તાં લગઈ સૂર સજાઈ રે.” (૨૩) .
ઢાળ ૫, કડી ૨૩ અર્થાત્ અમદાવાદ, બુહનપુર, વીજપુર, દિલ્લી, આગરા અને સિંધ વગેરેના રાજદરબારેમાં તેની ઘણું ખ્યાતિ ફેલાયેલી હતી.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org