________________
નગશેઠ શાંતિદાસ ઝવેરી આપ્યું? એ પ્રશ્નને જવાબ ચારે ય પ્રસંગમાં જુદે જુદે પ્રાપ્ત થાય છે. શ્રીયુત ડુંગરશીભાઈના મત પ્રમાણે (“અ” પ્રસંગ) મોગલ બાદશાહ અકબર દ્વારા તેમને આ પદ પ્રાપ્ત થાય છે. શ્રી મગનલાલ વખતચંદ (“બ” પ્રસંગની) પિતાની રજૂઆતમાં કયાં ય મોંગલ બાદશાહનું નામ આપતા નથી. “શ્રી શાંતિદાસ શેઠજીને રાસ.” (“ક” પ્રસંગ)માં મુનિ શ્રી સદ્ધરાષ્ટ્ર ની રેગમ શ્રી તિરસ ઝરીને તાત્ર ભાઈ ગણે છે તેથી જહાંગીર તેમને મામા કહે છે તેમ જણાવે છે અને અકબરનું મૃત્યુ થતાં જહાંગીર તેમને આ પદ આપે છે તેમ જણાવે છે. જ્યારે શ્રી રત્નમણિરાવ ભીમરાવના મત પ્રમાણે (ડપ્રસંગ) છેલ્લા મેગલ બાદશાહ શ્રી ઔરંગઝેબ તેમને નગરશેઠાઈ આપે છે.
આ ચારે ય મતમાં બાદશાહ ઔરંગઝેબના સમયમાં કે શાહજહાંના અંત સમયમાં શ્રી શાંતિદાસ શેઠને નગરશેઠાઈ મળે છે તે મત સાવ વજૂદ વિનાને છે. વાસ્તવિક હકીક્ત તે એ છે કે ઈ. સ. ૧૬૫૮ના રાજકીય અંધાધૂધીના સમયમાં ગુજરાતની પ્રજાને શાંતિથી રહેવાને સંદેશે પિતે ગાદીનશીન થયાના થોડાક સમય બાદ જ ઔરંગઝેબ શ્રી શાંતિદાસ ઝવેરી દ્વારા મોકલે છે. વળી શાહજહાં બાદશાહ દ્વારા પણ શ્રી શાંતિદાસ ઝવેરીને મોટી સંખ્યામાં શાહી ફરમાને પ્રાપ્ત થયાં હતાં. આ હકીકતે એમ દર્શાવે છે કે શાહજહાંના સમયમાં કે તે પહેલાં જ શ્રી શાંતિદાસ ઝવેરી અમદાવાદના નગરશેઠ તરીકે સ્થપાઈ ચૂક્યા હશે.
શ્રી મગનલાલ વખતચંદ કેઈ બાદશાહનું નામ આપતા નથી તેથી તેમને મત સ્પષ્ટ નથી. જ્યારે શ્રી ડુંગરશીભાઈને મત પ્રમાણે અકબર બાદશાહ દ્વારા તેમને આ પદ મળે છે. અને “શ્રી શાંતિદાસ શેઠજીના રાસ” પ્રમાણે બાદશાહ અકબરનું મૃત્યુ થવાથી પિતાના મામાને જહાંગીર આ પદ આપે છે. આ બંને મત સાચા હોવાની શક્યતા એટલા માટે વધુ છે કે આ બંને મતમાં સમયના ગાળાને કઈ મોટો વિવાદ નથી. બાદશાહ અકબરના સમયમાં તેમને આ પદ મળ્યું હોય તે પણ તેમના રાજકીય કારકિદીના અંત સમયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org