________________
ભૂમિકા
જનધર્મમાં આત્મશુદ્ધિના માર્ગો
જૈનધર્મ એ આત્મશુદ્ધિને ધર્મ છે તે સુવિદિત છે. આ આત્મશુદ્ધિ હાસલ કરવા માટે આત્મસાધક મહાપુરુષએ તેમ જ ધર્મશાસ્ત્રોએ આંતરિક અને બાહ્ય એવા અનેક માર્ગો કે ઉપાય બતાવ્યા છે. આત્મશુદ્ધિના આંતરિક માર્ગમાં સમતા, અહિંસા જેવાં વ્રતે, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરેને સમાવેશ થાય છે. જ્યારે આત્મશુદ્ધિનાં બાહ્ય સાધનેમાં જિનપ્રતિમા, જિનમંદિર, તીર્થસ્થાને, જ્ઞાનભંડારે, પૌષધશાળાઓ, ઉપાશ્રયે વગેરે ધર્મનું પ્રવર્તન કરવા માટેનાં સ્થાનેની ગણના કરવામાં આવે છે.
આત્મશુદ્ધિના આ આંતરિક સાધનને ઉપયોગ કરવાની અને આહા સાધનની સાચવણ અને વૃદ્ધિ કરવાની ધર્માભિમુખી જવાબદારી જંગમ તીર્થરૂપ ગણાતા ચતુર્વિધ શ્રીસંઘને સેંપવામાં આવેલી છે. આ વ્યવસ્થાને આધારે જૈન શાસનની પ્રભાવના અને વૃદ્ધિ છેક પ્રાચીન કાળથી થતી રહી છે અને ભવિષ્યમાં પણ થતી રહેવાની છે. સ્થાવર તીર્થોનું મહત્ત્વ
| જિનમંદિરે, તીર્થસ્થાને, ધર્મકાર્યોનાં આશ્રયસ્થાને અને જ્ઞાનભંડારે – આ બધાં સ્થાવર તીર્થ ગણાય છે. તીર્થકર ભગવાનના અભાવ અને ગેરહાજરીમાં જંગમ તીર્થરૂપ ચતુવિધ શ્રીસંઘની ધર્મ. શ્રદ્ધાને ટકાવી રાખવાનું અને તેમને ધર્માભિમુખ કરવાનું પાયાનું કામ આ સ્થાવર તીર્થો કરે છે. બીજી બાજુ જંગમ તીર્થરૂપ ચતુર્વિધ સંઘમાથી શ્રમણસંઘ અને શ્રમણ સંઘરૂ૫ ત્યાગી વર્ગ નાનાં-મોટાં સ્થાવર તીર્થોની સ્થાપના કરવાની શ્રાવકસંઘ તથા શ્રાવિકાસંઘ રૂપ ગૃહથવગને પ્રેરણા આપતાં રહે છે. આ પ્રેરણાને ઝીલાને આ ગૃહસ્થ વર્ગ આવા સ્થાવર તીર્થોની સ્થાપના કરતે રહે છે. આવાં સ્થાવર તીર્થો દરેક પ્રદેશમાં અને દરેક સમયમાં નવાં નવાં સ્થપાતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org