________________
૧૮૦.
નગરશેઠ શાંતિદાસ ઝવેરી પાર્શ્વનાથના દેરાસર ના નિર્માણ અને તેની સાચવણીને લગતે પ્રસંગ.
અમદાવાદમાં એક ભવ્ય દેરાસરનું નિર્માણ કરવાનું વિચાર થતાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ ઈ. સ. ૧૯૨૧માં સરસપુરમાં તેના બાંધકામનું કામ શરૂ કરાવીને ઈ. સ. ૧૯૨૫માં તેમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પ્રાર્શ્વનાથ અને અન્ય મૂર્તિ પધરાવીને તેની પ્રતિષ્ઠા કરી. ઈ. સ. ૧૯૩૮માં જર્મન પ્રવાસી આલ્બર્ટ ડો. મેડેલલેએ મુલાકાત લઈને જેનાં વખાણ કર્યા અને જેને ઉદ્દેશીને ઈ.સ. ૧૬૪૧માં “શ્રી ચિંતામણિપ્રશસ્તિ” કાવ્યની રચના થઈ તેવું આ દેરાસર કમનસીબે કાળપ્રવાહમાં તુર્ત જ નષ્ટ થઈ ગયું. ઈસ. ૧૬૪૫માં ધર્મઝનૂની મોગલ રાજવી ઔરંગઝેબે તેમાં ગાયને વધ કર્યો, તેડફેડ. કરી અને તેને મસ્જિદમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો. આ બનાવ પછી ત્રણ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ, પિતાના મુત્સદ્દીપણાથી આ દેરાસર પાછું મેળવવા અંગેનું શાહી ફરમાન બાદશાહ શાહજહાં પાસેથી નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેળવી શક્યા તે કાર્ય વાઘના મેંમાં ગયેલા સસલાને જીવતું પાછું લાવવા જેવું ગણી શકાય. પણ જેમાં ગાયનો વધ થયેલે એ સ્થાનને અપવિત્ર ગણુને જૈને તેને ફરીથી દેરાસર તરીકે સ્વીકાર ન કરી શક્યા. તેથી ખંડેર બની ગયેલા આ દેરાસરનું વર્ણન પણ આપણને ઈ. સ. ૧૬૬૬માં તેની મુલાકાત લેનાર ફેંચ મુસાફર થેવેને પાસેથી મળે છે. તીથનું નિર્માણ કરવામાં અને તેની રક્ષા કરવામાં સદા તત્પર એવા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી આ કમનસીબ બનાવ બન્યા તે દરમ્યાન પણ આ દેરાસરની મુખ્ય મુખ્ય મૂતિઓને બચાવીને ઝવેરીવાડમાં સાચવી શક્યા તે પણ ઓછી અગત્યની ઘટના નથી.
પિતાનાં તીર્થોની રક્ષા માટે તેઓ કેટલા સજાગ હતા તેના નમૂનારૂપે તેમણે પાલીતાણા રાજ્યના તે વખતના ગેહલ રાજવી કાંધાજી સાથે સં. ૧૭૦૭માં કરેલ રખેપાને પહેલે કરાર પણ નોંધી શકાય તેમ છે. મેગલ રાજસત્તાને ક્યારે અંત આવે તે કહેવાય નહી અને તેવા સંજોગોમાં પાલીતાણામાં આવેલ શત્રુંજય તીર્થને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org