SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિંતામણિ–પાશ્વનાથનું દેરાસર શ્રી ચિંતામણિમંત્રની કથા શ્રી શાંતિદાસ ઝવેરી પિતે હજુ કુશળ ઝવેરી તરીકે બહાર નહેતા આવ્યા, નગરશેઠ કે સંઘપતિ નહેતા બન્યા, તેમના પ્રભાવી વ્યક્તિત્વને ઉદય થો હજી બાકી હતું તે સમયની એક દંતકથા, જે અનેક પુસ્તકમાં સહેજસાજ ફેરફાર સાથે રજૂ થયેલી જેવા મળે છે, તે જોઈએ? (અ) એક શાંતિદાસના બદલે બીજા શાંતિદાસની મંત્રસાધના સૂરતમાં શ્રી નેમસાગર અને શ્રી મુક્તિસાગર ચેમાસુ હતા ત્યારે સૂરતના શેઠ શાંતિદાસને પિતાને પુત્ર ન હોવાથી આ સંબંધે તેમણે ગુરુને પૂછપરછ કરતાં ગુરુએ જણાવ્યું કે આ માટે ચિંતામણિ નામને મંત્ર છે અને તેની સાધના, તે મંત્ર પ્રમાણે, છ માસ સુધી કરવી જોઈએ. એક વખત બાર હજાર અને બીજી વખત છત્રીસ હજાર એમ ઉત્તરોત્તર પાંચ વખત તેને જાપ જપ જોઈએ. તેમાં ધૂપ, દીપક કરી બાકુલા વગેરેની છ માસ સુધી આહુતિ આપવી જોઈએ. આ રીતે કરવાથી ધરણરાય-પદ્માવતી મનની આશા પૂરે. શેઠે આ માટે હા કહી અને તે માટે મેંદીખાનાને કામ ભળાવી દીધું અને ગુરુએ આ મંત્રની છ માસની આરાધના શરૂ કરી.૨ આ આરાધના પૂરી થઈ તે દિવસે અમદાવાદના શ્રી શાંતિદાસ ઝવેરી સૂરતમાં હતા. તે પ્રભુદન કરવા ગયા. દર્શન કરીને જ્યાં ગુરુ મંત્ર સાધતાં હતા ત્યાં વંદન કરવા ગયા. આ જ વખતે સાધનાનું ફળ આપવાનું મુહૂત હતું. વંદન કરવા આવેલા અમદાવાદના શાંતિદાસને ગુરુએ નામ પૂછતાં તેમણે “હું શાંતિદાસ નામને વેપારી છું” એમ જણાવ્યું. વિધિએ “વહેલા તે પહેલે” એ લેખ લખ્યું હશે તેથી ગુરુએ “શાંતિદાસ” નામ સાંભળીને સૂરતના શાંતિદાસને બદલે અમદાવાદના શાંતિદાસને મંત્ર સાધવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy