________________
“થેઈ થઈ તત થઈ તત થઈ પદ્માવતી, ગીત ગાન મુખ વૃંદા. શાસ્ત્રસંગીત ભેદ પદ્માવતી, નૃત્યતિ (નવ) નવઈ છંદા.
(૨૩, ૨) આમ, વિવિધ પ્રકારે ભક્તિ કરતો સાધક દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં પરમાત્માના ગુણોના અનંતવૈભવનું દર્શન કરે છે.
અનંત તેરે ગુણ અનંત તેજ પ્રતાપ અનંત દરસણ ચારિત્ર અનંત, અનંત કેવલજ્ઞાનરી. ૧ અનંત શક્તિ કો નિવાસ, અનંત ભક્તિ કો વિલાસ. અનંતવીર્ય, અનંત ધીરજ, અનંત શુક્લધ્યાનરી. ૨
(૧૪, ૧-૨). હે અનંતગુણવાળા અનંતનાથજી, તારા ગુણ અનંત છે. તારા તેજ અને પ્રતાપ અનંત છે. દર્શન અને ચારિત્રગુણ અનંત છે, તારું કેવળજ્ઞાન અનંત છે, એટલું જ નહિ, તું અનંતશક્તિનો નિવાસ છે અને ભક્તની અનંતભક્તિ તારા ચરણકમળમાં વિકસે છે. હે પ્રભુ! તું અનંત વીર્યવંત અને અનંત ઘેર્યનો ભંડાર છે અને અનંત શુક્લધ્યાનને ધારણ કરનાર છે.
આમ, ભાવપૂજા નિમિત્તે પરમાત્માના અનંતગુણોનો મહિમા કરતો ભક્ત પરમાત્માની શરણાગતિ સ્વીકારતાં કહે છે;
અનંત જીવકો આધાર, અનંત દુઃખકો છેદનહાર. હમકો સ્વામી પાર ઉતાર, તું કૃપાનિધાન રી.”
(૧૪, ૩) આ શરણાગતિમાં ભક્તહૃદયનું આર્જવ પણ ભળે છે;
સ્વામી તાર, ચંદપ્રભ સ્વામી તારજી. સ્વામીએ સંસાર અસારજી, બહુ દુઃખ અનંત અપારજી. હું ભમ્યો અનંતી વારજી, મુઝ આવાગમન નિવારજી.
(૮, ૨) આમ, હૃદયનાં ભક્તિ, ઉલ્લાસ અને શરણાગતિની ભાવનાથી છલકતાં આ સ્તવનો છે. ટૂંકા-ટૂંકા મોટે ભાગે ત્રણ કડીનાં આ સ્તવનો ભાવ અને રાગોનું અપૂર્વ માધુર્ય ધરાવે છે. કવિની રાજસ્થાની – હિન્દી ભાષાની છાંટ ધરાવતી ભાષા પણ આ માધુર્યમાં અભિવૃદ્ધિ કરનાર બને છે.
કવિએ મારુ, ગોડી, કાફી, માલવી ગોડી, કાનડો, શ્રીરાગ (બે વાર), રામગિરિ (બે વાર), કલ્યાણ, કેદારો (બે વાર) લલિત, મારુણી (બે વાર), સારંગ (બે વાર), આસાવરી (બે વાર), ભૈરવ, નટ્ટનારાયણ, ગુજરી, દેવગંધાર, પરહો એમ કુલ ચોવીશ સ્તવનમાં ૧૮ રાગો પ્રયોજ્યા છે. કવિએ એક સ્તવનમાં આ સ્તવનનો રાગ સારંગ છે, તેવો કરેલો રાગ નામનો ઉલ્લેખ નોંધપાત્ર છે. આમ, આ સ્તવનો કવિના ઉત્તમ
મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org