________________
કાશી દેશ વારાણસી નગરી, પાવન કીધ. સ્વર્ગ થકી અહીં અવતરી, ભારત હિત શિખ દીધ.
(૨૩, ૨) કાવ્યમાં આવેલો ભારત’ શબ્દ અર્વાચીનતાસૂચક ચોક્કસ છે, પરંતુ ભાવ, ભાષાની દૃષ્ટિએ મધ્યકાળનું જ અનુકરણ છે.
જ્ઞાનપ્રધાન ચોવીશી પરંપરાનું અનુસંધાન આનંદઘનજીના પદોનું વિવરણ લખનારા અને શ્રીમદ્ દેવચંદ્રજીના સાહિત્યનું સંશોધન કરનારા બુદ્ધિસાગરસૂરિમાં જોવા મળે છે.
ગુણ અનંતની ધ્રુવતા, દ્રવ્યપણે છે અનાદિ ગુણની શુદ્ધિ અપેક્ષી, પયય કરી ભંગની સ્થિતિ.
(૧૧, ૫) આત્મામાં અનેક ગુણો દ્રવ્યથી અનાદિકાળથી હંમેશાં રહ્યા છે, પરંતુ શુદ્ધિની અપેક્ષાએ જીવના વિવિધ પ્રકારો થાય છે.
સુમતિ ચરણમાં લીનતા, સાત નવથી ખરી છે સમકિત પામી ધ્યાનથી, યોગીઓને વરી છે.
(૫, ૧) યુગપરિવર્તનને કારણે અનેક નવા પ્રશ્નો જન્મ્યા. જૂના રોજગારો ભાંગી જવાથી કેટલાક સાધર્મિકોની જૈનધર્મીઓ)ની આર્થિક સ્થિતિ કપરી થઈ. બુદ્ધિસાગરસૂરિના ત્રેવીસમા સ્તવનમાં નવી પરિસ્થિતિને કારણે સ્વામી અને સાધર્મિકોને સમાન ગણી તેમના ઉદ્ધારની શિખામણ આપવામાં આવી છે. જોકે, સ્તવનસ્વરૂપમાં પરમાત્મહુતિ જ મુખ્ય હોય છે, ત્યાં આવો ઉપદેશ વિશેષ અસરકારક બની શકતો નથી.
નવા યુગના પ્રભાવને કારણે અનેક કવિઓએ નવા રાગોમાં સ્તવનો ઢાળવાના પ્રયત્ન કર્યા છે, પરંતુ તેમાં મોટે ભાગે ભાવના ગીતોની ધૂનો કે લોકપ્રસિદ્ધ ગીતોની ધૂનોનું પ્રાધાન્ય જોવા મળે છે.
ભક્તિ વેલીઓ રોપાવ તારા બાગ જીવનમાં, નેમિનાથને વસાવ તારા બાગ જીવનમાં.
યશોભદ્રવિજયકૃત સ્તવનચોવીશી ૨૨, ૧) જિન, જિન, જિન બના દો જિન પાસ શંખેશ્વર જરા સુણ થોડી બાતમેં બહોત કહા હૈ, શ્યાને ઢીલ કરાયે, લે લો મુક્તિદ્વારે
લલિતમુનિકૃત સ્તવનચોવીશી, ૨૩, ૧) સોનાનો મુગટ હીરા ઝગમગ થાય સિદ્ધગિરિ પર દાદા, આદીશ્વર સોહાય.
પદ્મવિજયજીકૃત સ્તવનચોવીશી ૧, ૧) તોરણ આઈ નેમજી ચાલ્યા, રાજુલ રુવે રે રથડો વાળી પાછા સીધાવ્યા, રાજુલ રૂવે રે.
(કીર્તિવિજયકૃત સ્તવનચોવીશી ૨૨, ૧)
ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા પ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org