________________ કેટલીક મહત્ત્વપૂર્ણ ચોવીશીઓ વિશે આરાધક મુનિભગવંતોના હૃદયોદગાર... આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બાંહ પસારી જિમ, કહે ઉદધિ વિસ્તાર. (આનંદઘનજીના સ્તવનોની ગંભીરતા વિશે તેના બાલાવબોધકાર શ્રી જ્ઞાનસારજી) આ (યશોવિજયજીની) ચોવીશીનાં સ્તવનો અદ્ભુત છે.પ્રભુની સાથે આત્માને એકમેક બનાવવા માટે એ ચોવીશ સ્તવનો કરતાં બીજી કોઈ વધારે સહેલી ચીજ હજુ સુધી મારા અનુભવમાં આવી નથી. એ નાનકડાં સ્તવનોનો એક એક અક્ષર અર્થગાંભીર્યથી ભરેલો છે. એનું એકેક પદ સેંકડો વાર બોલશો તોપણ નવા નવા ભાવ ઝર્યા જ કરશે. એવું પ્રાયઃ બીજી કૃતિઓમાં ઓછું જ બને છે. માટે તેને હૈયાનો હાર બનાવશો. - નમસ્કાર મહામંત્રારાધક અધ્યાત્મયોગી પ. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મ. સા. પોતાના શિષ્ય પરના પત્રમાં વર્તમાનકાળની બધી ચોવીશીઓમાં પ્રભુ પરમાત્મા સાથે ભક્તિયોગના ગાનમાં એકાકાર બની વાતો કરવા રૂપે વિવિધ લટકા અને મીઠા ઉપાલંભને સૂચવનારા શબ્દો વાક્યોથી શોભતી આ (મોહનવિજયજી) ચોવીશી ખૂબ સર્વોત્કૃષ્ટ છે. - વિવિધ ચોવીશીઓના સંપાદક 5. પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી (ભક્તિરસ ઝરણાં-૨ની પ્રસ્તાવના) દેવચંદ્રજી ચોવીશીનાં સ્તવનોનું એકાગ્ર ચિત્તે ગાન, વાચન અને મનન કરવાથી અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદયમાં અત્યંત આદર-બહુમાન પ્રગટવા સાથે અપૂર્વ પ્રીતિ, ભક્તિ અને ભાવોલ્લાસ પેદા થાય છે અને ધ્યાનયોગથી અનેક ગુપ્ત ચાવીઓ - સૂક્ષ્મ રહસ્યો પણ જાણવા મળે છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. (પરમતત્ત્વની ઉપાસનાની પ્રસ્તાવના). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org