SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ આ પંક્તિઓમાં વર્ણવાયેલી દીપક અને પતંગની ઉપમાઓ અત્યંત સચોટ છે. એ જ રીતે પરમાત્માના અનંત જ્ઞાનાદિક ગુણોનું વર્ણન કરવા શ્રી અનંતનાથ સ્તવનમાં પ્રયોજેલ અનન્વય અલંકાર પણ મનોહર છે; સાયર ઉંડ પણો કુષ્ણ બુઝૈ ગગન ો ઉંચ પણો કુણ બુઝૈ. સા૰ ૨ ગંગા વેલૂ તણા જે કણીયા કહો કિમ જાવૈ તેહી જ ગણીયા. સા૦ ૩ તુમ જિનજી ગુણ કુણ વખાણૈ તાહરી ગત તુંહી જ જાણે. સા ૪ પરમાત્માની તારકશક્તિ વર્ણવતાં કહે છે : દેવ ઘણા છે દેવલે, તિગ્રસ્ ન મિલે તાંન હો જિ તરણ તારણ જગ એક તું, અવર નહિ સંસાર જિ ૨ ધ અમૃત સરિખો મેલનૈ, વિષ કુણ ખાયે જણ હૈ જિ જિહાજ સમો જિન મેલનૈ, પકડૈ કુણ પાÜણ હે જિ ૪ (૧૫, ૨-૪) આવા સરળ, ધ અલંકારો આ ચોવીશીની શોભારૂપ છે, અને કવિહૃદયના ભક્તિભાવનો સુંદર પરિચય કરાવે છે. કવિએ પોતાના વિરહદુઃખની પણ સુંદર અભિવ્યક્તિ કરી છે. Jain Education International (૧૪, ૨-૩-૪) હાં રે પ્રભૂ વસીયા અલગા સિવપુર કૈરે વાસ જો, તુમ દરસણનું તરસૈ મોરી આંખડી રે લો. હાં રે હું તૌ સાહિબસંતો ઉડ મિલૂં ઈણ તાલજો, પિણ મુજનૈ નવિ દીધી દૈવે પાંખડિ રે લો. આ જ રીતે કવિ રાજુલના વિરહ દુ:ખને વર્ણવતાં કહે છે : હંસ ઘણી મનમેં હુંતી હૈ, દરસણ રી યદુરાય. અંતર પડીયો અતિઘણો રે, કિમ ક૨ મિલીયો જાય. વાત ન કામની કહી રે, દીધો નહી કો દોસ. નયન નહેજો નાહલો રે, રાખ્યો તુજ મન રોસ. નવભવારો નેહલો રે, ટકે દીધો છોડ. મુજમન આસ ફ્ળી નહીં રે, કોઈ નપુગી કોડ. ૩૭૪ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only (૩, ૨) (૨૨, ૩-૪-૫) www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy