SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળ્યા. આ હિંસા પોતાનાં લગ્ન માટે છે એમ જાણી રથ પાછો વાળ્યો. રાજીમતી અને કુટુંબીજનોના વિલાપની વચ્ચે પણ નિર્લેપ રહી રેવત પર્વત પર શ્રાવણ સુદ છઠના દિને ચિત્રા નક્ષત્રમાં છઠ્ઠ તાપૂર્વક સંયમ માર્ગ ધારણ કર્યો. પ્રથમ પારણું વરદત્ત રાજાના ઘરે ખીર દ્વારા કર્યું. ૫૪ દિવસની સાધના બાદ રિવતગિરિ પર્વત પર ભાદરવા વદ અમાસના દિને ચિત્રા નક્ષત્રમાં વેકસ વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમનાં પ્રથમ શિષ્ય વરદત્ત (નરદત્ત) અને યક્ષા લક્ષદિક્ષા) નામે પ્રથમ સાધ્વી થયાં. પ્રભુએ અગિયાર ગણધરોને સ્થાપ્યા. અઢાર હજાર સાધુઓ અને ચોત્રીસ હજાર સાધ્વીઓ તેમ જ એક લાખ ઓગણસિત્તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ પરમાત્માની આજ્ઞાનું પાલન કરતાં હતાં. રાજીમતી પણ પરમાત્મા પાસે દીક્ષિત થઈ શ્રી નેમિનાથ ભગવાનના મોક્ષગમન પૂર્વે મોક્ષમાં ગઈ. સાતસો વર્ષ કેવળજ્ઞાની તરીકે અને જીવોને ધર્મનો બોધ આપી એક માસનું અનશન કરી અષાઢ સુદ આઠમના દિને ચિત્રા નક્ષત્રમાં રૈવતગિરિ પર્વત પરથી સકલ કર્મનો ક્ષય કરી મોક્ષમાં ગયા. શ્રી નેમિનાથ સ્વામીનું આયુષ્ય ૧,૦૦૦ વર્ષનું અને ઊંચાઈ ૧૦ ધનુષ્ય હતી. શૌરીપુરી, ગિરનાર, ભોરોલ (જિ. બનાસકાંઠા), વાલમ (મહેસાણા), રાંતેજ (મહેસાણા) આદિ પ્રસિદ્ધ તીર્થભૂમિઓ છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી ૮૩,૭૫૦ વર્ષના અંતરે વારાણસીનગરીમાં અશ્વસેન રાજાના કુલદીપકરૂપે થયો. વારાણસીનગરીના રાજા અશ્વસેનની વામાદેવી પટરાણીએ માગશર વદ દસમના દિને વિશાખા નક્ષત્રના શુભયોગે પુત્રને જન્મ આપ્યો, જેનું પાડ્યું એવું નામ રખાયું. તેઓ શોભાયમાન નીલકમળ જેવી કાંતિ ધરાવતા હતા અને તેમને જંઘા પર સર્પનું લાંછન શોભતું હતું. તેમનાં લગ્ન પ્રભાવતી નામની રાજકુમારી સાથે થયાં. એક વાર પાર્શ્વકુમારે નગરની બહાર આવેલા એક તાપસની ધૂણીમાંથી લાકડાંની વચ્ચે સળગતા નાગનો જ્ઞાન દ્વારા જાણીને ઉદ્ધાર કર્યો અને નવકારમંત્ર સંભળાવ્યો. નાગ મૃત્યુ પામી ભવનપતિ નિકાયમાં ધરણેન્દ્ર નામનો દેવતા થયો. તાપસ પોતાની જાતને અપમાનિત થયેલો માની પાર્શ્વકુમાર પ્રત્યે વેરભાવ ધારણ કરી ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડ્યો. તે મરણ પામી મેઘમાલિ નામે વ્યંતર થયો. કેટલાંક વર્ષો સુધી યુવરાજ તરીકે રહ્યા બાદ ભોગકર્મનો ક્ષય જાણીને સર્વસંગનો ત્યાગ કરી માગશર વદ અગિયારસના દિને વિશાખા નક્ષત્રમાં વારાણસીનગરીની બહારના ઉદ્યાનમાં પ્રવજ્યા ધારણ કરી તેમની યોગસાધનાના કાળમાં પૂર્વ ભવનો વૈરી કમઠજે વૈરી મેઘમાલિ નામના વ્યંતરે દેવતાઈ પ્રભાવ દ્વારા મેઘવર્ષા કરી અને ઘણું કષ્ટ આપ્યું, પરંતુ પરમાત્મા આ કષ્ટમાં સ્થિર રહ્યા. પોતાના ઉપકારી એવા તીર્થંકરના કષ્ટના નિવારણ માટે ધરણેન્દ્ર પોતાની પટરાણી પદ્માવતી સાથે આવી કષ્ટનિવારણ કર્યું. ૮૪ દિવસની સાધના બાદ વારાણસીનગરીના સમીપવર્તી ઉદ્યાનમાં ફાગણ વદ ચોથના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકી વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દિન આદિ ૧૦ ગણધરો થયા અને પુષ્પચૂલા નામે પ્રથમ સાધ્વી થઈ. ૧૬,0 સાધુઓ અને ૩૮,૦૦૦ સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ સિત્યોત્તેર હજાર શ્રાવિકાઓ થયાં. ૭૦ વર્ષ સુધી પોતાના ચરણકમળો વડે પ્રભુએ ધરાતલને પાવન કર્યું. અંતે એક માસનું અનશન કરી સમેતશિખર પર્વત પરથી શ્રાવણ સુદ આઠમ અને સ્વાતિ નક્ષત્રમાં સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષગમન કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આયુષ્ય ૧૦૦ વર્ષનું અને ૨૫૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy